મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે ભારતે 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે શિક્ષણ અને આરોગ્ય સંભાળ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
ભારતે છેલ્લા 25 વર્ષમાં સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર છ ટકા જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે સરળ નથી.
તેમણે મજબૂત પાયો નાખવા માટે વહીવટી સુધારા ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય સંભાળ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવા વિનંતી કરી. કોલકાતામાં એક પુસ્તક વિમોચન દરમિયાન તેમણે આ સૂચન આપ્યું હતું.
જો ભારતે 2047 સુધીમાં વિકસિત દેશ બનવું હોય તો તેણે સરેરાશ વાર્ષિક સાત ટકાના દરે આર્થિક વૃદ્ધિ હાંસલ કરવી પડશે. સાત ટકાના આર્થિક વિકાસ દર સાથે, ભારતની માથાદીઠ આવક, જે હાલમાં $2,400 છે, તે વધીને $10,000 થઈ શકે છે.