છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બુધવારે વહેલી સવારે એક કાપડની દુકાનમાં લાગેલી ભીષણ આગમાં ઉપરના માળે રહેતા એક પરિવારના સાત સભ્યોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.
પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી, જેના પરિણામે ત્રણ મહિલાઓ, બે પુરૂષો અને બે બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા પોલીસ ફાયર બ્રિગેડ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. કમનસીબે, ત્યાં સુધીમાં સાત લોકોના મોત થયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને નિષ્ણાત ટીમ દ્વારા તપાસ કર્યા બાદ તે જાણવામાં આવશે