મધ્યપ્રદેશ,
ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે સીએમ તરીકે આજે 13 ડિસેમ્બરને બુધવારે શપથ લીધા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ડૉ મોહન યાદવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના માનવામાં આવે છે. તે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયમાંથી આવે છે. મોહન યાદવ શિવરાજ સિંહ ચૌહાણના અનુગામી બન્યા છે. શિવરાજ ચાર વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં આજથી ડૉ. મોહન યાદવની સરકાર સત્તાવાર રીતે સત્તા પર આવી છે. ઉજ્જૈન દક્ષિણ બેઠકના ધારાસભ્ય ડૉ. મોહન યાદવે બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે, રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત બીજેપી શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આજનો શપથ સમારોહ ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે. ચૂંટણીના પરિણામો બહાર આવ્યાના એક સપ્તાહ સુધી ચાલેલી વિવિધ અટકળોનો સોમવારે અંત આવ્યો હતો. ભાજપે સોમવારે ડૉ. મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા અને પક્ષના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પાંચમી વખત મુખ્ય પ્રધાન પદ સંભાળીને રેકોર્ડ બનાવવામાં નિષ્ફળ ગયા હતા..
શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં મંત્રી રહેલા ડૉ. મોહન યાદવને સોમવારે ભાજપ વિધાનસભા પક્ષની મળેલ બેઠક દરમિયાન સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય નરેન્દ્ર સિંહ તોમર, જેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા તેમને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડૉ. મોહન યાદવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના માનવામાં આવે છે. ડૉ. મોહન યાદવને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે ક્યારેય જોવામાં આવતા ન હતા. ડૉ. મોહન યાદવને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના છે, જે રાજ્યની વસ્તીના 48 ટકાથી વધુ છે. સોમવારે મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યા બાદ મોહન યાદવ રાજ્યપાલ મંગુભાઈ પટેલને મળ્યા હતા. અને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. મોહન યાદવ 2013માં પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2018માં અને ફરીથી 2023માં વિધાનસભા બેઠક જાળવી રાખી હતી. ગયા મહિને થયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે રાજ્યની 230 વિધાનસભા બેઠકોમાંથી 163 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને 66 બેઠકો સાથે બીજા સ્થાને ધકેલી દીધી હતી.