નવી દિલ્હી: પહેલી લોકસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને મોટી ભેટ આપી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે, ‘દિલ્હી સરકારે નવી સોલાર એનર્જી પોલિસી, સોલાર પોલિસી 2024 બહાર પાડી છે. નવી સોલાર પોલિસી હેઠળ, જે લોકો તેમના રુફટોપ પર સોલાર પેનલ લગાવે છે તેઓને વીજળીનું બિલ શૂન્ય આવશે, પછી ભલે તેઓ કેટલા યુનિટ વીજળી વાપરે. આની મદદથી તમે દર મહિને 700-900 રૂપિયા કમાઈ શકો છો. કેજરીવાલે કહ્યું, ‘2016માં નીતિ લાગુ થઈ ત્યાં સુધી તે દેશની સૌથી પ્રગતિશીલ નીતિ હતી. દિલ્હીમાં, 200 યુનિટ સુધીની વીજળી મફત છે, 400 યુનિટ સુધીનું વીજળીનું અડધું બિલ અને તેનાથી ઉપરનું સંપૂર્ણ બિલ વસૂલવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હી સોલાર પોલિસી હેઠળ આગામી 3 વર્ષમાં 500 ચોરસ મીટર વિસ્તારવાળી સરકારી ઇમારતો પર સોલર પેનલ લગાવવી ફરજિયાત હશે.’
જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવશે તેમને ઝીરો વીજળી બિલ આવશે.
કેજરીવાલે કહ્યું કે જ્યારે 2015માં દિલ્હીમાં અમારી સરકાર બની ત્યારે એક વર્ષની અંદર અમે સોલર પોલિસી બહાર પાડી હતી. તેનું નામ સોલાર પોલિસી 2016 હતું, ત્યારથી આ પોલિસી અમલમાં હતી. આ દેશની સૌથી પ્રગતિશીલ નીતિ હતી. આ નીતિએ દિલ્હીમાં સૌર ઊર્જાનો પાયો નાખ્યો. આ પોલિસી હેઠળ જે લોકોએ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી છે તેમની પાસે 250 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. 200 યુનિટ સુધીની વીજળી મફત છે. દિલ્હીમાં અડધું બિલ 400 યુનિટ સુધી વસૂલવામાં આવે છે અને તેનાથી ઉપરનું સંપૂર્ણ બિલ.
કેબિનેટ દ્વારા દિલ્હી સોલર પોલિસીને મંજૂરી, 10 દિવસમાં સૂચિત થવાની સંભાવના છે.