(GNS),17
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ચૂંટણી પહેલા અયોધ્યામાં લોકોને રામ લલ્લાના મફત દર્શન કરવાની મંજૂરી આપવાના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર નિશાન સાધ્યું છે. ઠાકરેએ કટાક્ષ કરતાં કહ્યું કે મને લાગે છે કે ભાજપે ‘ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’નું નવું ખાતું ખોલ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે ભાજપ આટલા વર્ષોથી સત્તામાં છે, જે કામ કરે છે તેને જનતાની સામે લાવવું જરૂરી છે. લોકોને રામ મંદિર બતાવવાની લાલચ આપવાની વાત શા માટે આવી? આ દરમિયાન ઠાકરેએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.. રાજ ઠાકરે થાણે આવ્યા અને કોંકણ સ્નાતક ચૂંટણીને લઈને MNS કાર્યાલયમાં તેમના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઠાકરેએ કહ્યું કે વાજપેયીના સમયમાં ભાજપ કંઈક અલગ હતું. આજનું ભાજપ ઘણું બદલાઈ ગયું છે. EDના દરોડા વગેરે લાંબો સમય નહીં ચાલે. રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં જાતિવાદ ઉભો કરીને શાંતિને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. આ બધું ચૂંટણી પહેલા શરૂ થઈ રહ્યું છે. મનોજ જરાંગે પાટીલ પાછળ કોણ? તે આવનારા સમયમાં ખબર પડશે…
રાજ ઠાકરેએ એનસીપી પર પણ પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી એનસીપીની સ્થાપના થઈ છે ત્યારથી રાજ્યમાં જાતિવાદ શરૂ થયો છે. સ્વાર્થી રાજકારણને કારણે મહારાષ્ટ્ર ખાડામાં ધકેલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રને ઉત્તર પ્રદેશ અને બિહાર બનવામાં વધુ સમય લાગશે નહીં. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ મતદારોથી ડરવું જોઈએ, પરંતુ પક્ષો મતદારોને મૂર્ખ બનાવી રહ્યા છે. લોકો મુખ્ય વિષયોથી ભટકી ગયા છે. મતદારો 5 વર્ષથી રસ્તા પરના ખાડા અને બેરોજગારીની વાત કરે છે અને અંતે અલગ મુદ્દા પર મતદાન કરીને કિંમત ચૂકવે છે.. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મરાઠી બોર્ડ અંગે પણ કહી વાત જે જણાવીએ, કોર્ટના આદેશ પર કહ્યું કે ફટાકડા ક્યારે ફોડવા અને તહેવાર કેવી રીતે ઉજવવો તે કોર્ટ નક્કી કરે છે, પરંતુ આદેશનું પાલન થાય છે કે નહીં તેના પર કોર્ટ ધ્યાન આપતી નથી. બોર્ડ પર મરાઠી નામ લખવા સામે વેપારીઓ કોર્ટમાં જાય છે. કોર્ટના આદેશ છતાં સરકાર મરાઠી ભાષામાં બોર્ડ લગાવવાના આદેશનો અમલ કરી રહી નથી. તેમણે કહ્યું કે હવે મારે કંઈક કરવું પડશે.