ગુજરાતમાં, રાજ્ય સરકાર નાના, મધ્યમ અને સૂક્ષ્મ સાહસોને ટેકો આપવા માટે વ્યાજ સબસિડી આપે છે.
જે અંતર્ગત મહેસાણા જિલ્લાના 318 MSME એકમોને રૂ. 14.14 કરોડ વ્યાજ સબસિડી ચૂકવવામાં આવી છે.
વિધાનસભામાં મહેસાણા જિલ્લાના MSME એકમોને વ્યાજ સબસિડી અંગેના પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની 350 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી 318 અરજીઓ પર 1,414.79 લાખ રૂપિયાની સહાયની રકમ ચૂકવવામાં આવી છે.
અન્ય પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મહેસાણા જિલ્લામાં 34,827 MSME એકમો નોંધાયેલા છે, જેમાં 32,446 સૂક્ષ્મ સાહસો, 2,083 નાના સાહસો અને 298 મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
આવા એકમોએ અનુબંધમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક છે. વિવિધ યોજનાઓના લાભો પણ ઓનલાઈન મંજૂરી દ્વારા આપવામાં આવે છે.