માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીને શનિવારે ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. ભારે ભીડ અને અરાજકતા વચ્ચે મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ સંસ્કાર પહેલા નમાઝ-એ-જનાજાની વિધિ કરવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે ભારે પોલીસ દળ સાથે મુખ્તાર અંસારીના મૃતદેહને તેમના વતન મુહમ્દાબાદ ખાતેના તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. શનિવારે સવારે મૃતદેહને ગાઝીપુર મોકલવામાં આવ્યો હતો. બાંદાથી ગાઝીપુર સુધીના રસ્તાને ખાલી કરવા માટે તમામ જિલ્લામાં પોલીસ દળોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
મુખ્તાર અંસારીને તેના માતા-પિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસની સાથે અર્ધલશ્કરી દળોને દરેક ખૂણે-ખૂણે તૈનાત કરવામાં આવ્યા હતા.
મુખ્તાર અન્સારીનું ગુરૂવારે સાંજે બાંદા જેલમાં અવસાન થયું હતું. ઓટોપ્સી રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.
માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીને શનિવારે ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. ભારે ભીડ અને અરાજકતા વચ્ચે મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ સંસ્કાર પહેલા નમાઝ-એ-જનાજાની વિધિ કરવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે ભારે પોલીસ દળ સાથે મુખ્તાર અંસારીના મૃતદેહને તેમના વતન મુહમ્દાબાદ ખાતેના તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. શનિવારે સવારે મૃતદેહને ગાઝીપુર મોકલવામાં આવ્યો હતો. બાંદાથી ગાઝીપુર સુધીના રસ્તાને ખાલી કરવા માટે તમામ જિલ્લામાં પોલીસ દળોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
મુખ્તાર અંસારીને તેના માતા-પિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસની સાથે અર્ધલશ્કરી દળોને દરેક ખૂણે-ખૂણે તૈનાત કરવામાં આવ્યા હતા.
મુખ્તાર અન્સારીનું ગુરૂવારે સાંજે બાંદા જેલમાં અવસાન થયું હતું. ઓટોપ્સી રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.