મધ્યપ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે વિશ્વમાં પ્રખ્યાત છે. જો તમે આવતા મહિને અહીં આવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. સમાચાર એ છે કે IRCTCએ હવે મધ્યપ્રદેશની મુલાકાત લેવા માટે એક શાનદાર ટૂર પેકેજ રજૂ કર્યું છે.
હવે IRCTC દ્વારા મધ્યપ્રદેશ મહાદર્શન નામનું ટૂર પેકેજ રજૂ કરવામાં આવ્યું છે. 4 રાત અને 5 દિવસના આ ટૂર પેકેજ દ્વારા તમને ફ્લાઈટમાં મુસાફરી કરવાનો મોકો મળશે. આ ટૂર પેકેજ હેઠળ તમે મહેશ્વર, ઓમકારેશ્વર, ઉજ્જૈન વગેરે સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમારી યાત્રા હૈદરાબાદથી શરૂ થશે.
આ યાત્રા તમે માત્ર 25,650 રૂપિયામાં કરી શકો છો. જો કે, આ માટે તમારે ત્રણ લોકોના જૂથમાં તમારી ટિકિટ બુક કરવી પડશે. જો તમે એકલા મુસાફરી કરો છો, તો તમારે 33,350 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે બે લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે 26,700 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસ દરમિયાન તમને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.