મોસ્કો જઈ રહેલું ભારતીય વિમાન બદખ્ખાનના વાખાનમાં ક્રેશ થયું, તપાસ ચાલી રહી છે
મોસ્કો જતું એક ભારતીય વિમાન શનિવારે બદખ્ખાનના વાખાન વિસ્તારમાં ક્રેશ થયું હતું. બદખ્શાનમાં તાલિબાનના માહિતી અને સંસ્કૃતિના વડાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, પેસેન્જર પ્લેન તોપખાનેહ પર્વત પર ક્રેશ થયું હતું, જે પ્રાંતના કરણ, મંજન અને જીબાક જિલ્લાઓને આવરી લે છે.
તેમણે કહ્યું કે ઘટનાની તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. હાલમાં, સત્તાવાર સૂત્રોએ જાનહાનિની સંખ્યા અથવા અકસ્માતના કારણ વિશે માહિતી આપી નથી. હાલ સ્થિતિ તપાસ હેઠળ છે.