નવી દિલ્હી
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ગુરુવારે કહ્યું હતું કે પાર્ટીના નેતા રાહુલ ગાંધીની અરજી સેશન્સ કોર્ટમાં ફગાવી દેવામાં આવ્યા બાદ પાર્ટી કાયદા હેઠળ તમામ વિકલ્પો પર વિચાર કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની સેશન્સ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરત કોર્ટે તેમની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.
આ નિર્ણય બાદ જયરામ રમેશે કહ્યું કે અમારી પાસે કાયદા હેઠળ તમામ વિકલ્પો ઉપલબ્ધ છે. અમે તે બધાનો લાભ લેવાનું ચાલુ રાખીશું. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સાંજે 4:00 વાગ્યે રાહુલ ગાંધીની અપીલ અંગે મીડિયાને માહિતી આપશે.