રૂદ્રપ્રયાગ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રવિવારે ત્રણ દિવસની અંગત મુલાકાતે ઉત્તરાખંડમાં છે. તેઓ કેદારનાથ ધામ પહોંચ્યા છે. તેમણે અહીં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં જીત માટે પ્રાર્થના કરી હતી. ઉત્તરાખંડ કોંગ્રેસે X પર લખ્યું- રાહુલ ઉત્તરાખંડની ધાર્મિક યાત્રા પર છે. આ દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમ થશે નહીં. પૂજા બાદ તેઓ કેદારનાથના નિર્માણ કાર્યની પણ માહિતી લેશે. આ પહેલા 2015માં રાહુલ ગાંધી પગપાળા કેદારનાથ ધામ પહોંચ્યા હતા.
25 એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રાના દરવાજા નવેમ્બરમાં 6 મહિના માટે બંધ રહેશે. 14 નવેમ્બરે ગંગોત્રી, 15 નવેમ્બરે યમુનોત્રી અને કેદારનાથ ધામના દરવાજા બંધ રહેશે. બદ્રીનાથ ધામના દરવાજા 18 નવેમ્બરે બંધ કરવામાં આવશે. શીખોના મુખ્ય તીર્થસ્થળ હેમકુંડ સાહિબના દરવાજા 11 ઓક્ટોબરે બંધ કરી દેવામાં આવ્યા છે.