પાકિસ્તાનના લાહોરમાં એક મકાનમાં ભીષણ આગ લાગવાને કારણે એક જ પરિવારના 10 સભ્યોના મોત થયા છે. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની મીડિયા અનુસાર લાહોરના ભાટી ગેટ વિસ્તારમાં બુધવારે રેફ્રિજરેટર કોમ્પ્રેસર વિસ્ફોટના કારણે આગ લાગી હતી.
બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરમાં ધુમાડો નીકળવા માટે કોઈ જગ્યા ન હતી અને એક પુરુષ, તેની પત્ની, અન્ય બે મહિલાઓ અને છ બાળકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. બાળકોમાં એક સાત મહિનાનું બાળક પણ સામેલ હતું. બચાવ કાર્યકર્તાઓ બિલ્ડીંગમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંજાબ પ્રાંતના વચગાળાના મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.
લાહોરના ડીઆઈજી ઓપરેશન્સ અલી નાસિર રિઝવીએ જણાવ્યું કે મૃતકો એક જ પરિવારના છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હતી. રેસ્ક્યુ 1122ના સત્તાવાર નિવેદન અનુસાર, તેમને સવારે 2:32 વાગ્યે આગની માહિતી મળી હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આગ ઘરના બીજા માળે લાગી હતી, જે ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારમાં સ્થિત હતું.
બચાવ અધિકારીઓએ જણાવ્યું કે ઘરમાં ધુમાડો નીકળવા માટે કોઈ જગ્યા ન હતી અને બાળકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હતા. રેસ્ક્યુ 1122 દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી દર્શાવે છે કે મૃતકોમાંથી પાંચ કિશોરો હતા, જ્યારે તેમાંથી બે ચાર વર્ષના અને એક સાત મહિનાનો હતો. બચાવ કાર્યકર્તાઓ બિલ્ડીંગમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘટના સ્થળે 33 બચાવ કર્મચારીઓ અને 11 વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. હવે આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગ પ્રોસેસ ચાલુ છે.
સરકારી રેડિયો પાકિસ્તાને અહેવાલ આપ્યો છે કે વડા પ્રધાન શેહબાઝ શરીફે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃત આત્માઓ માટે પ્રાર્થના કરી હતી. તે જ સમયે, પંજાબ પ્રાંતના વચગાળાના મુખ્ય પ્રધાન મોહસીન નકવીએ અકસ્માતની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. ફ્રિજ સર્વિસ અને રિપેર કરતા નિષ્ણાતો કહે છે કે જ્યારે કોમ્પ્રેસરની પાઈપલાઈનની જાડાઈ ઓછી હોય અથવા ગેસનું પ્રેશર વધારે હોય ત્યારે તે વિસ્ફોટ થાય છે. આ સિવાય ફ્રિજમાં અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે.