ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 34 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. આ લેખમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે ક્યાં કોની ટિકિટ કપાઈ છે અને તેમની જગ્યાએ કોને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે આસામ માટે 11 લોકસભા સીટો માટે જાહેરાત કરી છે. જેમાંથી પાંચ નવા ચહેરા છે. સિલચર બેઠક પરથી વર્તમાન સાંસદની ટિકિટ રદ કરવામાં આવી છે અને તેમના સ્થાને પરિમલ સુક્લાબૈદ્યને ટિકિટ આપવામાં આવી છે. સ્વાયત્ત જિલ્લા બેઠક પરથી વર્તમાન સાંસદ હોરેન સિંહના સ્થાને અમર સિંહ ટીસોને ટિકિટ આપવામાં આવી છે. ગુવાહાટીથી રાની ઓઝાની ટિકિટ કાપીને બિજુલી કલિતા મેધીને ટિકિટ આપવામાં આવી છે. તેજપુર સીટ પરથી વર્તમાન સાંસદ પલ્લબ લોચન દાસની ટિકિટ રદ્દ કરી રણજીત દત્તાને ટિકિટ આપવામાં આવી છે. ડિબ્રુગઢ સીટના વર્તમાન સાંસદ રામેશ્વર તેલીને રદ્દ કરીને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે છત્તીસગઢ માટે 11 લોકસભા સીટો માટે જાહેરાત કરી છે. કમલેશ જંગડેને જાંજગીર ચંપાના વર્તમાન સાંસદ ગુહા રામ અજગલેની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. રાયપુર બેઠક પરથી વર્તમાન સાંસદ સુનિલ કુમાર સોનીની ટિકિટ કાપીને બ્રિજમોહન અગ્રવાલને ટિકિટ આપવામાં આવી છે. મહાસમુંદ બેઠક પરથી વર્તમાન સાંસદ ચુન્નીલાલ સાહુના સ્થાને રૂપ કુમારી ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. કાંકેર બેઠક પરથી વર્તમાન સાંસદ મોહન માંડવીની ટિકિટ કાપીને ભોજરાજ નાગને ટિકિટ આપવામાં આવી છે.
ચાંદની ચોક લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ હર્ષ વર્ધનની ટિકિટ રદ કરીને પ્રવીણ ખંડેલવાલને નવા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ દિલ્હી બેઠક પરથી સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્માની જગ્યાએ કમલજીત સેહરાવતને ટિકિટ આપવામાં આવી છે. સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ મીનાક્ષી લેખી છે. દક્ષિણ દિલ્હી સીટ પરથી રમેશ બિધુરીની ટિકિટ રદ કરવામાં આવી છે અને તેમની જગ્યાએ રામવીર સિંહ બિધુરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભાજપે રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય રાજ્યમંત્રી મોહન કુંડારિયાના સ્થાને પુરુષોત્તમ રૂપાલાને, પોરબંદર બેઠક પરથી રમેશ ધડુકના સ્થાને મનસુખ માંડવિયા, અમદાવાદ પશ્ચિમમાંથી કિરીટ સોલંકીના સ્થાને દિનેશ મકવાણા, બનાસકાંઠામાંથી રાજપાલ સિંહને ટિકિટ આપી છે. બનાસકાંઠાથી પરબત પટેલ અને પંચમહાલમાંથી રતનસિંહના સ્થાને જાધવને ટિકિટ આપવામાં આવી છે.