નવીદિલ્હી,
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજધાની દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં મેનિફેસ્ટો બહાર પાડ્યો. પાર્ટીએ તેના મેનિફેસ્ટોનું નામ સંકલ્પ પત્ર રાખ્યું છે જે આંબેડકર જયંતિના અવસર પર બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે ભાજપ 400 પારના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે તેમણે પોતાના મેનિફેસ્ટોમાં ઘણા વચનો આપ્યા છે. મેનિફેસ્ટોમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આવો જાણીએ મેનિફેસ્ટોની કેટલીક મહત્વની અને મોટી બાબતો.
મેનિફેસ્ટોની કેટલીક મહત્વની અને મોટી બાબતો