નવી દિલ્હી: મુસાફરો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. ભારતીય રેલવેએ દિલ્હી અને દેહરાદૂન વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 22 જૂનથી અમલમાં આવશે. આ મુજબ આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયાના તમામ છ દિવસ ચાલશે. હાલમાં આ રૂટ પર વંદે ભારત બુધવાર સિવાય તમામ દિવસો ચાલે છે.
ભારતીય રેલ્વેએ માહિતી આપી છે કે 22457/22458 આનંદ વિહાર ટર્મિનલ-દહેરાદૂન-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22 જૂન, 2024થી આ ટ્રેન ગુરુવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે. હાલમાં તે બુધવાર સિવાય તમામ દિવસોમાં ચાલે છે.
રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ઓપરેશનલ કારણોસર લેવામાં આવ્યો છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સુધારેલા સમયપત્રકની નોંધ લે અને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે.