હરસિંગર એટલે કે પારિજાતના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં તેના પાંદડાથી અનેક રોગોનો ઈલાજ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં હરસિંગરનાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં હોય છે. પરંતુ તેના ઔષધીય ગુણો વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. હરસિંગરના પાનનો માત્ર એક સપ્તાહ ઉપયોગ કરવાથી અનેક રોગોમાં અસર જોવા મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે. શિયાળાની ઋતુની શરૂઆતમાં કફની સમસ્યા સામાન્ય બની જાય છે. પારિજાતના છોડનો ઉપયોગ કફની દવા તરીકે કરી શકાય છે. જે લોકોને આર્થરાઈટિસની સમસ્યા હોય તેમણે હરસિંગરના પાનનું સેવન કરવું જોઈએ. તેનાથી સાંધાનો સોજો પણ ઓછો થાય છે. જો તમારા બાળકને પેટમાં કીડા હોય તો તેને હરસિંગરના પાનનો અર્ક આપો. તેના પાંદડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ સિવાય તમે તેના પાંદડાને ઉકાળી શકો છો અને તે ઠંડું થાય પછી પાણી પી શકો છો.