ચિરંજીવીએ કહ્યું- વિષય જાણ્યા વિના પાયાવિહોણી વાતો ન લખો
તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ કહ્યું, “ઘણા શુભેચ્છકો મારા સ્વાસ્થ્ય વિશે સંદેશા મોકલી રહ્યા છે. તે બધા માટે આ સમજૂતી છે. પત્રકારોને પણ આ અપીલ છે. વિષય જાણ્યા વગર પાયા વગરની વાતો ન લખો. આ કારણે ઘણા લોકો ડરી જાય છે અને દુઃખી થાય છે.” તે જ સમયે, ચિરંજીવી આગામી સમયમાં ભોલા શંકરમાં જોવા મળશે. આ ફિલ્મ મેહર રમેશ દ્વારા નિર્દેશિત એક્શન એન્ટરટેઈનર છે. આ ફિલ્મમાં તમન્નાહ અને કીર્તિ સુરેશ સાથે ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા શિવા અને આદિ નારાયણે લખી છે અને સંવાદો મમિદલા તિરુપતિએ લખ્યા છે.