મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ: મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંબંધિત સુનાવણીમાં હાઈકોર્ટના નિર્ણયને લઈને શાહી ઈદગાહ સમિતિ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જેના પર સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ કમિટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને નિર્ણયને યથાવત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂકમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે મથુરામાં શાહી ઇદગાહ સંકુલનો સર્વે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું: કોર્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવશે, ઈદગાહનો સર્વે કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં અત્યારે કોઈ આદેશ જારી કરીશું નહીં. હવે આ કેસની સુનાવણી 9 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે.