હરિયાણાની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એટલે કે 12 માર્ચે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છે કે તેમને કરનાલથી લોકસભા ચૂંટણી લડાવવાની તૈયારી ચાલી રહી છે. ખટ્ટર ખટ્ટર રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
જે બાદ હરિયાણાની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. એવા સમાચાર છે કે હવે હરિયાણામાં નવી સરકાર બનશે. જેમનો શપથ ગ્રહણ સમારોહ બપોરે 1 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે તેમના પછી મુખ્યમંત્રી પદ માટે નવા નામોની વચ્ચે નાયબ સૈની અને સંજય ભાટિયા ચર્ચામાં છે.
તમને જણાવી દઈએ કે, આજે ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ભાજપ ત્યાં પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનોહર લાલ સિવાય સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે.
નોંધનીય છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચેના આ અણબનાવ પાછળનું કારણ આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને મતભેદ છે. જે બાદ હવે આ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તૂટશે તે નિશ્ચિત છે.