હૃદયની કાળજી હૃદયરોગ એ વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતી આરોગ્ય સમસ્યાઓમાંની એક છે , ગંભીર સ્થિતિમાં લોકોને હાર્ટ એટેક જેવી જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક આ સ્થિતિ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, હૃદય સંબંધિત સમસ્યાઓ આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનું પરિણામ છે, નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, વધુ ચરબીયુક્ત ખોરાકના સેવનથી લોકોની ધમનીઓ સખત થઈ જાય છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
હૃદય સંબંધિત બે અભ્યાસો થયા છે. જેમાં આવો આહાર સૂચવવામાં આવ્યો છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો ટાળી શકાય છે. અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે આહારમાં લીલા શાકભાજી ઉમેરવા અને ચરબીયુક્ત ખોરાકને આહારમાંથી દૂર કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.
હૃદયરોગથી બચવા શું ખાવું અને શું ન ખાવું ,
અમેરિકન હાર્ટ એસોસિએશન હૃદય રોગને રોકવા માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર ભાર મૂકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે હૃદયરોગના જોખમને ઘટાડવા માટે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળી ડેરી ઉત્પાદનો, બિન-ઉષ્ણકટિબંધીય વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તે જ સમયે, સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબી, સોડિયમ, લાલ માંસ, મીઠાઈઓ અને ખાંડયુક્ત પીણાં જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
નિષ્ણાતો શું કહે છે ,
અધ્યયનના મુખ્ય લેખક ડૉ. યુની ચોઈ કહે છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ બને તેટલું કુદરતી ખોરાક લેવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું શ્રેષ્ઠ છે. ખોરાકમાં બને ત્યાં સુધી નોન-વેજ ઓછું કરો. આંકડા અનુસાર, વિશ્વમાં મૃત્યુનું સૌથી મોટું કારણ હાર્ટ એટેક છે. આવી સ્થિતિમાં જો નાનપણથી જ હાર્ટ માટે હેલ્ધી ફૂડ્સને ડાયટમાં સામેલ કરવામાં આવે તો હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકાય છે.