6સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ
રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન150થી વધુ વાચકો લે છે વાંચનનો લાભ
Ahmedabad, ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ગત વર્ષે રાજ્યના21જિલ્લાઓના50તાલુકાઓમાં તેમજ7આદિજાતિ જિલ્લા14તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ64સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ64માંથી53સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ ચૂક્યા છે,અને11નું કામ પ્રગતિમાં છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ197સરકારી પુસ્તકાલયો કાર્યરત છે,અને આ વર્ષે તાલુકા સ્તરે નવા71સરકારી પુસ્તકાલયોના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. એ પછી રાજ્યના તમામ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે,દર વર્ષે6સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક વ્યક્તિને પુસ્તક વાંચનનો આનંદ માણવા માટે તેમના દિવસમાંથી સમય કાઢવા માટે પ્રેરિત કરે છે. આ દિવસને ઊજવવાનો ઉદ્દેશ દરેક લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે,જેથી તેઓ વાંચન પ્રવૃત્તિને કેળવી શકે અને વાંચનનો આનંદ લઇ શકે.
રાજ્યમાં33જિલ્લા પુસ્તકાલયો અને150તાલુકા પુસ્તકાલયો
રાજ્યમાં કુલ197સરકારી પુસ્તકાલયો કાર્યરત છે,જેમાં33જિલ્લા પુસ્તકાલયો અને150તાલુકા પુસ્તકાલયો સહિત મધ્યસ્ત પુસ્તકાલયો,ફરતા પુસ્તકાલયો,રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર,સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયોનો પણ સમાવેશ થાય છે.
મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન150થી વધુ વાચકો
રાજ્યભરમાં સ્થિત સરકારી પુસ્તકાલયો નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરે છે. રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઇ રહ્યા છે,જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન150થી વધુ વાંચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. રાજ્યના જે જિલ્લા પુસ્તકાલયો ખાતે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે,ત્યાં પ્રતિદિન250થી વધુ વાચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે,અને તાલુકા પુસ્તકાલયો ખાતે પણ100થી વધુ વાચકો પ્રતિદિન વાંચનનો લાભ મેળવી રહ્યા છે.
આદિજાતિ સમુદાયો પણ મેળવી રહ્યા છે વાંચનનો લાભ
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યના7આદિજાતિ જિલ્લાઓના14તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે,જેના થકી આદિજાતિ સમુદાયને પણ વાંચન સેવાનો લાભ મળી રહ્યો છે.

