ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે ચમોલી જિલ્લાના ગૌચર નજીક કામેડા ખાતે મોટા ભૂસ્ખલનને કારણે છેલ્લા પાંચ દિવસથી બંધ હતો, તેને શુક્રવારે નાના વાહનો માટે ખોલી દેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે કામેડા ખાતે કાટમાળ હટાવ્યા બાદ થોડા સમય માટે હાઇવે નાના વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
‘ઓલવેધર રોડ’ પ્રોજેક્ટમાં સામેલ હાઇવેને સોમવારે કામેડા ખાતે ભારે વરસાદ પછી ભૂસ્ખલન થયું હતું, જેના કારણે પહાડી પરથી કાટમાળ પડ્યો હતો અને રસ્તાના 100-મીટરના ભાગને નુકસાન થયું હતું. લગભગ 100 કલાકની જહેમત બાદ હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.
રૂટ બંધ થવાને કારણે, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ચમોલી અને કુમાઉ જનારા મુસાફરોને વૈકલ્પિક મોટરેબલ રૂટ દ્વારા મોકલવામાં આવી રહ્યા હતા, જેમાં લાંબો સમય લાગતો હતો અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વધારાનું અંતર કાપવું પડતું હતું.