વડગામ તાલુકાના મેમદપુરમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ મેમદપુર દ્વારા તા.2 થી 8 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મનુષ્યમાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, ભક્તિ અને સંસ્કાર વધે તે હેતુથી પવિત્ર શ્રાવણ માસમાં ચાલી રહેલી આ કથામાં મેમદપુર ગામના ધર્મપ્રેમી લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યાં ડૉ.મધુસુદન શાસ્ત્રી (મેમદપુર)એ કથા વ્યાસપીઠ પર રાંધેલી કથાનું રસપાન કરાવ્યું હતું.