ઈરાને બુધવારે કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. કુવૈતમાં ભારતીય દૂતાવાસે ‘X’ પર એક પોસ્ટમાં કુવૈત એરપોર્ટ પર હુમલામાં એક ભારતીય નાગરિકના મોત પર ઊંડી શોક વ્યક્ત કરી છે.
દૂતાવાસે કહ્યું કે તે કુવૈતી સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહ્યું છે જેથી શોકગ્રસ્ત પરિવાર તેમજ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તમામ શક્ય મદદ અને સહાય પૂરી પાડવામાં આવે.
ઈરાની હુમલામાં ટર્મિનલ વનને નિશાન બનાવાયા બાદ કુવૈતે બુધવારે હવાઈ ટ્રાફિકને સ્થગિત કરી દીધો હતો. આ હુમલામાં જાન-માલનું નુકસાન થયું હતું અને એરપોર્ટને પણ નુકસાન થયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજીએ સરકારી સમાચાર એજન્સી ‘કુના’ને આ માહિતી આપી.

