ભૂગર્ભ ગટરની સમસ્યાથી પીડાતા પાલનપુરના ચેમ્બરોને સાફ કરવા માટે દર વર્ષે પ્રિ-મોન્સુન એક્ટિવિટી કરવામાં આવે છે. ત્યારે પોલીટેકનીક કોલેજથી જનતા નગર સુધીના રોડની નીચેની ભૂગર્ભ ગટરની પાઇપલાઇનની ચેમ્બરો હટાવ્યા વગર ચાર વર્ષ પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો.
હવે વર્ષો બાદ જનતા નગર રોડની ચેમ્બરોની સફાઈ માટે ભૂગર્ભ ગટર શાખાએ રસ્તાની નીચેથી ચેમ્બર શોધવાની જવાબદારી પાલિકાની બાંધકામ શાખાને આપી હતી. અને બાંધકામના કર્મચારીઓએ રસ્તાની નીચે દટાયેલી ભૂગર્ભ ગટરની ચેમ્બર શોધી કાઢી હતી, પરંતુ તેઓએ ખૂબ જોખમી રીતે રસ્તો તોડવો પડ્યો હતો. બીજી તરફ પોલિટેક્નિક કોલેજ સામેથી જનતા નગર સુધીના વન-વે રોડ પર 10થી વધુ જગ્યાએ જોખમી ખાડાઓ ખોદવામાં આવ્યા છે.