આજકાલના યુવાનો ભવિષ્યનો વિચાર કર્યા વિના ભાગી જવાનું નક્કી કરે છે, પછી ભલે તે સગીર હોય. પરંતુ માતા-પિતા પર તેની વિપરીત અસર થાય છે. ત્યારે લોકો અમૂલ્ય જીવન ટુંકાવી મોતને વહાલ કરવા મજબૂર બને છે. આવી જ એક ઘટના માલપુર તાલુકાના મેવડા ગામમાં બની હતી.
મેવડા ગામે રહેતા સોમભાઈ ચમારના પુત્ર વિશાલકુમાર ચમારને ગામની જ એક સગીર યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આથી વિશાલ ચમાર અને સગીરા બંને 16મી ઓગસ્ટના રોજ ભાગી ગયા હતા. ગામમાં બધે શોધખોળ કર્યા પછી પણ તેઓ ક્યાંય મળ્યા ન હતા, ત્યારે માલપુર પોલીસે વિશાલ અને તેના માતા-પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ સગીરોના અપહરણની ફરિયાદ દાખલ કરી હતી.