વિસનગરના દિપરા દરવાજા પોપટલાલ મહારાજ મંદિર પાસે રોડ પરથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જેમાં 42 વર્ષીય અજાણ્યા ઇસમની લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને કોલ્ડરૂમમાં મોકલી આપ્યો હતો.
વિસનગરના દીપરા દરવાજા વિસ્તારમાં પોપટલાલ મહારાજના મંદિર પાસે રોડ પર એક વ્યક્તિની લાશ પડી હતી. જેના કારણે મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિસનગર શહેર પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર લાશની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે 42 વર્ષીય યુવકની લાશને ઓળખ માટે વડનગર કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપી હતી.
વિસનગરના દીપરા દરવાજા વિસ્તારમાં પોપટલાલ મહારાજના મંદિર પાસે રોડ પર એક વ્યક્તિની લાશ પડી હતી. જેના કારણે મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિસનગર શહેર પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર લાશની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે 42 વર્ષીય યુવકની લાશને ઓળખ માટે વડનગર કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપી હતી.