(GNS),28
ગણેશોત્સવ દરમિયાન ગણેશ ભક્તો દરેક ઘર, સોસાયટી અને વિસ્તારમાં વિઘ્નો દૂર કરનારની મૂર્તિની સ્થાપના કરે છે. ત્યાર બાદ પૂજા પછી એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર દિવસ પછી ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તો આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ બાપ્પાને આજે રંગીન વિદાય આપવામાં આવી રહી છે. ડીજે, ડ્રમ અને વાદ્યના તાલે દુંદાળા દેવને વિદાય આપવામાં આવી રહી છે. ગણપતિ બાપ્પા મોરયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ખાસ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે.