રાજસ્થાન સ્થિત રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. વિસનગરની કાંસા ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર આરોપીઓને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં હત્યારાઓને ફાંસી આપો જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.
ગુજરાત ક્ષત્રિય સભા, ક્ષત્રિય યુવક સંઘ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, શ્રી વિસનગર રાજપૂત સમાજ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને વિસનગરના સર્વે સમાજ દ્વારા વિસનગરમાં કાંસા ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સ્વ.સુખદેવસિંહ ગોગામેડીના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સુખદેવ સિંહ અમર રહો, હત્યારાઓને ફાંસીની સજા આપો જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.