(GNS),તા.01
અમદાવાદ,
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત ખરાબ રીતે થઈ છે. ગુજરાતમાં 24 કલાકમાં 2 પરિવારના 7 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે. આ ઘટના મોરબીના વાંકાનેર અને બોટાદ નજીક બની હતી. જેમાં 2 પરિવાર નંદવાઈ ગયા છે. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લોકો ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે બે પરિવારો ભોગ બન્યા છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે મોરબીના વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. માતા મંજુલાબેન ખાંડેખાએ તેમની બે નાની દીકરીઓ સેજલ અને અંજુનો સાથે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 11 મહિના પહેલા આત્મહત્યા કરનાર પુત્રીના દુઃખના કારણે પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવા વર્ષના પ્રથમ દિવસે આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. બોટાદના નિપગ રેલવે સ્ટેશન પર એક મોટી ઘટના બની છે. બોટાદના નિપગ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા 4 લોકોના કરૂણ મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, નિપાહ રેલવે સ્ટેશન પર 22 થી 25 વર્ષની વયની બે મહિલાઓ અને બે પુરૂષોએ આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગરડા તાલુકાના નિપગ રેલવે સ્ટેશન પર 4 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ 22 થી 25 વર્ષની વયની બે મહિલા અને બે પુરૂષોના મોત થયા છે. જેઓએ ભાવનગરથી ગાંધીગ્રામ જતી ટ્રેન 09216માં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે બોટાદ રેલવેના અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે અને 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે 3 વ્યક્તિના આત્મહત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે.