પાટણના નિર્મળનગર રેલ્વે ફાટક નેલિયા ખાતેની સિદ્ધેશ્વરી, પાર્થ, બાલાજી સોસાયટીના લોકો આકરી ગરમીમાં પાણી માટે ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે સોસાયટીના લોકો ખાનગી ટેન્કરો મેળવીને પાણી મેળવી રહ્યા છે, જેમાં પાણીમાં ગેરકાયદે મોટરો લગાવવાને કારણે નિર્મળ નગરની પાછળ આવેલી સોસાયટીઓમાં પાણી આવતું ન હોવાનો આક્ષેપ કરાયો છે. આ વિસ્તારમાં જે સોસાયટીઓમાં મોટરો લગાવવામાં આવી છે તેના નળ જોડાણો પાલિકા દ્વારા કાપી નાખવામાં આવશે. તેવી માંગ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. આમ એક તરફ જ્યાં નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવ્યો છે ત્યાં બીજી તરફ ઉનાળામાં પાણીના અભાવે મહિલાઓ અને બાળકો ટેન્કરના સહારે જીવી રહ્યા છે.