પાલનપુરના સોલાગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં બાળકોને શિક્ષણની સાથે સાથે સારા સંસ્કારનું પણ શિક્ષણ આપવામાં આવે છે. એવા શુભ હેતુથી શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના બાલમંદિર વિભાગમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ આરાધના કરવામાં આવી હતી. જેમાં બાલમંદિરના બાળકોએ ભગવાન શંકર, માતા પાર્વતી, ગણેશ, મહાદેવજી, પોથીયો, પારધી વગેરે સ્વરૂપ ધારણ કરી મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી.
ગુરૂજી દ્વારા બાળકોને શિવરાત્રી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વસ્તિક આર્ટ એકેડમીના ચેરમેન રોહિતભાઈ ભુટકા, પ્રાથમિક શાળાના આચાર્ય રવિભાઈ મેણાત, આચાર્ય રંજનબેન પટેલ, બાલમંદિરના સુપરવાઈઝર કેતનાબેન પટેલ અને બાલમંદિરના બાળકોએ ભગવાન શિવની આરાધના કરી હતી. કાર્યક્રમનું આયોજન એસો.ના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ગુરૂજી દ્વારા બાળકોને શિવરાત્રી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વસ્તિક આર્ટ એકેડમીના ચેરમેન રોહિતભાઈ ભુટકા, પ્રાથમિક શાળાના આચાર્ય રવિભાઈ મેણાત, આચાર્ય રંજનબેન પટેલ, બાલમંદિરના સુપરવાઈઝર કેતનાબેન પટેલ અને બાલમંદિરના બાળકોએ ભગવાન શિવની આરાધના કરી હતી. કાર્યક્રમનું આયોજન એસો.ના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.