બનાસકાંઠા જિલ્લા શિક્ષણ બોર્ડ પાલનપુર સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.વિનુભાઈ એમ.પટેલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શૈલેષભાઈ ચૌધરી અને શ્રી જાવેદભાઈ સિંધીએ ભાગ લીધો હતો. SVEEP નોડલ ઓફિસરોએ વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા અને મતદાન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા જેમાં 300 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી ડો. વાય.બી.ડબગરના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રોફેસર ડો.એસ.એન.જયસ્વાલે મહેમાનોનો પરિચય આપી સમગ્ર કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને આ કાર્યક્રમમાં સુનિલ ભાઈ, ડો.શીતલ ચૌધરી, ડો. વિજયભાઈ પરમાર અને દર્શનભાઈ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી ડો. વાય.બી.ડબગરના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રોફેસર ડો.એસ.એન.જયસ્વાલે મહેમાનોનો પરિચય આપી સમગ્ર કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને આ કાર્યક્રમમાં સુનિલ ભાઈ, ડો.શીતલ ચૌધરી, ડો. વિજયભાઈ પરમાર અને દર્શનભાઈ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું.