બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ઘી ના ફાયદા: ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમની ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે સવારે અમુક દિનચર્યાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો ડાયાબિટીસના દર્દીઓ વહેલી સવારે આ ખોરાક ખાય તો તેઓ બ્લડ સુગરને બેલેન્સ કરી શકે છે.
સવારે બ્લડ સુગરનું પ્રમાણ વધવું એ ડાયાબિટીસવાળા લોકો માટે સમસ્યા બની શકે છે. તેથી, પ્રોટીન, સારી ચરબી, ફાઇબર અને સ્ટાર્ચ વગરનું સંતુલિત ભોજન સવારે લો.
સવારે લીવરમાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે, તેથી આખો દિવસ એનર્જીથી ભરેલો રહે છે. વધુ પડતી તરસ, વારંવાર પેશાબ, દિવસભર ચક્કર આવવું એ હાઈ બ્લડ સુગરના લક્ષણો છે.
રોજ સવારે હળદરના પાઉડરને એક ચમચી ઘી સાથે ભેળવીને ખાવાથી શરીર માટે ખૂબ જ લાભ થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઘી એ ખૂબ જ મહત્વપૂર્ણ ખોરાક છે. તે શરીરમાં શુગર લેવલને નિયંત્રિત કરે છે.
સવારે એક ચમચી ઘી સાથે હળદર ભેળવીને ખાવાથી આખા દિવસ દરમિયાન બ્લડ સુગર વધતી નથી.