નવી દિલ્હી . દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં કોંગ્રેસને સત્તામાં લાવવા બદલ કર્ણાટકના લોકોનો આભાર માનતા, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના અધ્યક્ષા સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું કે કર્ણાટકનો આદેશ વિભાજનકારી રાજકારણનો અસ્વીકાર અને ભ્રષ્ટાચારનો અસ્વીકાર છે. હું કર્ણાટકની જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આજે શપથ લેનારી કોંગ્રેસ સરકાર લોકોને આપેલા વચનોને અમલમાં મૂકવાની પોતાની પ્રતિબદ્ધતા પર ખરા ઉતરશે. મને ગર્વ છે કે પ્રથમ કેબિનેટ બેઠકે અમારી પાંચ ગેરંટીના તાત્કાલિક અમલીકરણને મંજૂરી આપી છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકની સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે.
તમને જણાવી દઈએ કે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ શનિવારે રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસની સાથે અનેક વિરોધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. સીએમ પદ સંભાળ્યા બાદ સિદ્ધારમૈયાએ ચૂંટણી દરમિયાન આપેલા વચનોને વહેલી તકે પૂર્ણ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે કેબિનેટની પ્રથમ બેઠકમાં જ વચનો પૂરા કરવાના આદેશ આપીશું.