થરાદ તાલુકાના જામપુર ગામના પ્રજાપતિ બાબુભાઈ ઓખાભાઈના ખેતરમાં પડેલા જુવારના ઘાસચારામાંથી પસાર થતી વીજલાઈનમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. થરાદથી 20 કિમી દૂર ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ પવનના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ખેડૂતના જણાવ્યા મુજબ ચાર ચારાની ટ્રોલીમાંથી એકનો જીવ બચી ગયો હતો.