તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)
આગામી તા.18જાન્યુઆરી2026સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશે
Ahmedabad, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)હાથ ધરવામાં આવી છે. ગત તા.27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19ડિસેમ્બર2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.18જાન્યુઆરી2026સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.
જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.23ડિસેમ્બર સુધીમાં કુલ92,235નાગરિકો તરફથી ફોર્મ6/ 6Aમળ્યા છે. જે પૈકી69,760ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને22,475ફોર્મ ત્યારપછી મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે કુલ13,331નાગરિકો તરફથી ફોર્મ7મળ્યા છે. જે પૈકી11,074મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને2,257ત્યારપછી મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

