સહકારને સ્માર્ટ બનાવતી નવિન ક્રાંતિનો પ્રારંભ –ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી – કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ
કૃષિ-પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલસ્ટોન અમૂલ એ.આઈ.નું લોંન્ચીંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી
Ø સરકાર-સહકાર અને ટેક્નોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી છે.
Ø ત્રણ કર્તવ્યો પર આધારિત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દૂધ ઉત્પાદકોના હિતોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.
Ø ડેરી ઈકો સિસ્ટમને સંગીન કરવા 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે કેન્દ્રીય બજેટમાં વિશેષ ફંડની જોગવાઈ
Ø વૈશ્વિક ટ્રેડ ડિલથી દેશના ડેરી સેક્ટરને લાભ – ભારત વિશ્વની ડેરી બનવાની દિશામાં ઝડપભેર આગળ વધશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કરતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે, આ અમૂલ એ.આઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલ સ્ટોન બનશે.
રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અને વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાની તથા ડેરી બ્રાન્ડની ખ્યાતિ પ્રાપ્ત અમૂલ દ્વારા ખેડૂતથી ટેક્નોલોજી સુધી સહકારને સ્માર્ટ બનાવતી નવિન અમૂલ એ.આઈ. ક્રાંતિનો પ્રારંભ અવસર આણંદમાં યોજવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધ્યક્ષ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં પાછલા 11 વર્ષમાં દેશની આર્થિક વિકાસયાત્રા તેજ ગતિએ આગળ વધી છે તેમાં ટેકનોલોજીનો મહત્વનો ફાળો છે.

