વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના આયોજન થકી વૈશ્વિક રોકાણ અને આધુનિક મેડિકલ ડિવાઇસ ઇકોસિસ્ટમને મળશે વેગગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે એક નવો, ક્ષેત્ર-વિશિષ્ટ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે એક સંકલિત અને વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જે સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા પરીક્ષણ તેમજ વૈશ્વિક નિકાસને મજબૂત આધાર પૂરો પાડશે.નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું સ્થાપનGIDC દ્વારા પ્રસ્તાવિત નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્ક લગભગ 336 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ પાર્કને “એન્ડ-ટુ-એન્ડ” ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક સંશોધનથી લઈને ઉત્પાદન,…
Author: gujarat
અમદાવાદ, ભારત સરકારનીમેક ઇન ઇન્ડિયાપહેલ અંતર્ગત ભારતને ઉત્પાદન,ડિઝાઇન તથા નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના તથાઆત્મનિર્ભર ભારત અભિયાનહેઠળ અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાંવિકસિત ભારતનીસંકલ્પના અનેસ્વચ્છતા હી સેવાઅભિયાનને આગળ વધારતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ સ્થિત લોકોમોટિવ શેડ સાબરમતી દ્વારા નવીનતા અને સ્વદેશી તકનીકી વિકાસના ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. લોકો શેડ સાબરમતીની ટીમ દ્વારા ઇન-હાઉસના રૂપેએકવેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનર (VATક્લીનર)નું સફળતાપૂર્વક ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉપકરણ પર્યાવરણને અનુકૂળઅનેકિફાયતીછે. આ ઇકો-ફ્રેન્ડલી અને કિફાયતી ડિવાઇસએચ એચ પિલોકોમોટિવના રેડિયેટર ફેનનો ઉપયોગ કરીને ઇન-હાઉસબનાવવામાં આવ્યું છે,જેનેએકડીઝલ વર્કિંગ ટ્રોલી (DWT)પર વર્ટિકલલગાવવામાંઆવ્યું છે અને તે લોકોમોટિવમાંથી જ પાવર મેળવે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક દેવો ભવ:ના મંત્રને સાકાર કરી શ્રેષ્ઠ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંડિજિટલ ક્રાંતિથી શાકભાજી, શેરડીનો રસ વેચવાવાળા સહિતના નાના વેપારીઓ પણ QR કોડના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ મેળવતા થયાગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિક દેવો ભવ:ના મંત્ર સાથે ગુજરાત અને કેન્દ્ર સરકાર અનેક પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે. આજે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેઈજીની જન્મ જયંતી નિમિત્તે ‘સુશાસન દિવસ’ની સમગ્ર દેશમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, પૂર્વ…
ગુજરાત એસ.ટી. નિગમની નવી છલાંગ: ₹૨૬૦ કરોડના ખર્ચે ૫૧ નવી અત્યાધુનિક બસો અને ૨૮ બસ સ્ટેશનોની ભેટ મળશેગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર રાજ્યમાં જાહેર પરિવહન સેવાને વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનાવવા જઈ રહી છે. આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યભરમાં ₹૨૬૦ કરોડ ના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે, જેનાથી લાખો મુસાફરોને સીધો ફાયદો થશે.જનતાની સુખાકારીમાં વધારો કરવા માટે એસ.ટી. નિગમ દ્વારા ૫૧ નવી અત્યાધુનિક બસો કાર્યરત કરવામાં આવશે. આ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે. વિવિધ રૂટો પર આ બસો શરૂ થવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને…
નવી દિલ્હી, ૩૩ વર્ષની લાંબી રાહ જોયા પછી, ગુજરાતને ફરી એકવાર ભારતના ટાઇગર મેપ પર સત્તાવાર રીતે સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ એ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને આગામી ૨૦૨૬ વાઘ ગણતરીમાં રાજ્યનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે.નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૩ વર્ષથી વાઘની ગેરહાજરી બાદ આ દરજ્જો પરત મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક સાડા ચાર વર્ષનો નર વાઘ કાયમી ધોરણે સ્થાયી…
લુણીવાવ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કરતા રાજ્યપાલશ્રી,સાદગીપૂર્ણ જીવનશૈલીનો સંદેશ આપ્યોરાજ્યપાલશ્રીએરાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગ્રામ્ય જીવનની સાદગીને અનુરૂપ લુણીવાવ પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં તેઓ રાત રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલશ્રી ગામડાઓની તેમની મુલાકાત દરમિયાન સાદગીપૂર્ણ જીવનશૈલી પર ભાર આપી તદૃન પ્રાથમિક સુવિધાઓ ધરાવતા સરકારી શાળા કે પંચાયત ભવન પ્રકારના સરકારી આવાસોમાં રોકાણ કરે છે.રાજ્યપાલશ્રીએ શાળા ખાતે વહેલી સવારે નિત્યક્રમ મુજબ યોગાભ્યાસ કર્યો હતો. જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા. સૂક્ષ્મ વ્યાયામ સાથે યોગનો આરંભ કરવામાં આવ્યો હતો. બાદમાં ભસ્ત્રિકા,અનુલોમ વિલોમ સહિતના પ્રાણાયામો,વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા.…
મુખ્યમંત્રી ના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ : AMC તથા ઔડાના રૂ. 526 કરોડથી વધારેના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરાયું(પ્રતિનિધિ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશ-વિદેશમાં વિખ્યાત બનેલા કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની 101મી જયંતી નિમિત્તે ભાવવંદના કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014થી સુશાસનના પ્રણેતા એવા અટલજીના જન્મદિવસને ગુડ ગર્વનન્સ ડે તરીકે ઊજવવાની શરૂઆત કરાવી હતી. સુશાસન થકી છેવાડાના લોકોને વિકાસના મુખ્યપ્રવાહમાં જોડી શકાય છે.વડાપ્રધાનના માર્ગદર્શનમાં એએમસી દ્વારા અમદાવાદને કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ સહિતના…
Gujarat BJP New Team Announcement: ગુજરાતમાં ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને ભાજપ ગુજરાત યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઓક્ટોબરની શરૂઆતમાં ભાજપે તત્કાલીન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને અધ્યક્ષ બનાવ્યા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની જગ્યાએ પદભાર સંભાળ્યો હતો. ત્રણ મહિનાની અંદર જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. તેઓ લાંબા સમયથી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર, સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નવી ટીમની ચર્ચામાં લાગેલા હતા. અત્યાર સુધી ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સી.આર.…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભદુરદરાજના વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ આપીને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાનોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આરોગ્ય સેવાલક્ષી અભિગમવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીશાદર્શનમાં બાળ આરોગ્ય સંભાળ માટે રાજ્ય સરકારે પ્રીકોશન- પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ પર ફોકસ કર્યું છે: મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ ટાઈપ-1ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી.રાજ્યના દુરદરાજ વિસ્તારોના…
• ગુજરાતમાં ૧૩ થી ૧૬ વર્ષની ૧૬૩૩ દીકરીઓ સગર્ભા, નાની ઉંમરે માતા : આરોગ્ય વિભાગના સત્તાવાર સર્વેમાં આવી ચોકાવનારી હકિકતો : ડૉ. મનિષ દોશી• NHFS-5 ના સર્વેમાં બાળલગ્ન અંગે ૧૫ જિલ્લાની ચોંકાવનારી સ્થિતિ, બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની અમલવારીમાં સરકારની નિષ્ફળતાનો જીવંત પુરાવો : ડૉ. મનિષ દોશીTeenage Pregnancy Gujarat 2025: ગુજરાતમાં “બેટી બચાવો” અને “વિકાસ”ના નારા આપતી ભાજપ સરકારની વાસ્તવિકતા ચોંકાવનારી રીતે સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ દરમિયાન કરાયેલા સર્વે અને ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રજુ થયેલ સત્તાવાર ડેટા મુજબ રાજ્યમાં ૧૩ થી ૧૬ વર્ષની કુલ ૧૬૩૩ દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. ત્યારે, ગુજરાતમાં બાળલગ્નની ગંભિર સ્થિતિ…
