બે ફેઝની કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન : EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રાખવામાં આવી(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રીસ્ટોરેશન તથા હાલના બ્રિજની બન્ને બાજુ નવા 2-2 લેનના બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રીસ્ટોરેશન તથા હાલના બ્રિજની બન્ને બાજુ નવા 2-2 લેનના બ્રિજના નિર્માણ માટે યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે.સુભાષ બ્રિજ રાણીપ અને શાહિબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ…
Author: gujarat
વડોદરા, વડોદરાના સયાજીબાગના એક કર્મચારીના ઘરેથી દુર્લભ પ્રજાતિના કાચબા મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા દરોડામાં આ ઘટસ્ફોટ થયો છે.જેનાથી તંત્રની કામગીરી અને કર્મચારીઓની નૈતિકતા સામે અનેક સવાલો ઊભા થયા છે.સયાજીબાગમાં ફરજ બજાવતા હરિ રાઠવા નામના કર્મચારીના નિવાસસ્થાને પ્રતિબંધિત કાચબા હોવાની બાતમી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળી હતી. સંસ્થાના અગ્રણીઓએ કર્મચારીના ઘરે દરોડો પાડતા ત્યાંથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા હતા. આ ઘટનાની તુરંત જાણ વન વિભાગને કરવામાં આવી હતી અને કાચબાનો કબજો લેવામાં આવ્યો હતો.વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ કાચબા પાણીના નથી, પરંતુ પહાડી સૂરજ…
ભરતનાટ્યમ આરંગેત્રમની પ્રસ્તુતિ સતત એક કલાક અને ચાલીસ મીનીટ નૃત્ય પ્રદર્શન દ્વારા કરી. આમ તમામ આઠેય બાલિકાઓએ નૃત્ય અને અભિનયમા પોતાની કળા પરના પ્રભુત્વને દર્શાવ્યુ છે.અમદાવાદ:અમદાવાદના ભાગવત વિદ્યાપીઠના પવિત્ર પરિસરમાં ‘કલાસૂર્ય ફાઉન્ડેશન’ દ્વારા ભરતનાટ્યમ દીક્ષાંત સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 8 પ્રતિભાશાળી બાલિકાઓએ તેમના પ્રથમ ‘આરંગેત્રમ્’ દ્વારા વર્ષોની કઠોર નૃત્ય સાધનાને મંચ પર સાકાર કરી.તાલ, લય અને ભાવના સુંદર સમન્વય સાથે આ દીકરીઓએ ભારતીય નૃત્યકલાની પરંપરાને જીવંત રાખી છે. ફાઉન્ડેશનના સંગીતા પટેલના જણાવ્યા મુજબ, સંસ્થા માત્ર ટોકન ફી પર શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના અંદર છુપાયેલા કલાકારને ઘડવાનું ઉમદા કાર્ય કરી રહી છે.ફાઉન્ડેશન દ્વારા આઠ પ્રતિભાશાળી બાલિકાઓને નૃત્યદીક્ષા આપવામાં આવી.…
અમદાવાદ, શહેરના દાણીલીમડામાં સ્ક્રેપના વેપારીને અજાણ્યા નંબર પરથી આવેલા ફોનકોલ દ્વારા સાયબર ઠગાઈનો શિકાર બનાવવામાં આવ્યો છે. ૧૦ વ્હીલની ટ્રક વેચવાના બહાને ફોટા મોકલી વડોદરાના ઠગોએ એડવાન્સ પેમેન્ટ પેટે રૂ. ૧.૨૦ લાખ ખંખેરી લીધા હતા અને બાદમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ અંગે પીડિત વેપારીએ સાયબર હેલ્પલાઈનમાં જાણ કરીને દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.દાણીલીમડામાં રહેતા ૫૨ વર્ષીય આમીનભાઈ સ્ક્રેપના વ્યવસાય સાથે સાથે જૂની ફોર વ્હીલર તેમજ હેવી વેહિકલની લે–વેચનો ધંધો પણ કરે છે. ગત તા. ૧૫ ઓક્ટોબરના રોજ સવારે આમીનભાઈ પોતાની દુકાને હાજર હતા, તે દરમિયાન અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.ફોન કરનારે પોતે બરોડાથી હૈદરભાઈ…
પિતાની હયાતીમાં પુત્રીએ ભાગ જતો કર્યો હતોઃ મૃત્યુ બાદ હક માંગ્યોઃ દાવો જતો કર્યો હોય છતાં વારસાઈની જમીનમાંથી પુત્રીનો હક રદ થતો નથીઅમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે પિતાની વારસાગત સંપત્તિમાં પુત્રીના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી પુત્રી પોતે સ્વૈચ્છિક રીતે પોતાના હિસ્સાનો ત્યાગ ન કરે, ત્યાં સુધી પિતાની મિલકતમાં તેના હક્કનો અંત આવતો નથી.આ કેસ અમદાવાદના ચેનપુર ગામની વારસાગત ખેતીની જમીન સાથે જોડાયેલો છે. એક પુત્રીએ તેના પિતાની મિલકતમાં પોતાના આઠમા ભાગના હિસ્સા માટે દાવો કર્યો હતો. અગાઉ ટ્રાયલ કોર્ટે ‘ઘણો સમય વીતી ગયો છે’ તેમ કહીને પુત્રીનો દાવો રદ કર્યો હતો,…
મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય‘કામા અશ્વ શો‘ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરીમામય ઉપસ્થિતિ“ગાય,અશ્વ સહિતનું પશુધન આદિકાળથી સમૃદ્ધિનું પ્રતિક રહ્યું છે, ત્યારે આપણી સંસ્કૃતિ અને વિરાસતના આ અભિન્ન અંગને બચાવવાની આપણી સૌની જવાબદારી”-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીએ અશ્વોનું પ્રદર્શન નિહાળ્યું;દેશી ગૌવંશનું નિરીક્ષણ કર્યુંમોરબીમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે માનવી અને અશ્વ વચ્ચેના અતૂટ વિશ્વાસના સંબંધની પ્રતિકૃતિ સમાન ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો‘નું પશુપાલન વિભાગ,પ્રવાસન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વશ્રી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત…
ઓનલાઇન સિસ્ટમ દ્વારા હવે ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ વેગવાન અને પારદર્શક બનશેગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી,પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)અમલમાં મૂકવામાં આવી છે. આ નવીSOPડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે,જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી,એ જ આSOPનો મુખ્ય હેતુ છે.*નવીSOPની મુખ્ય વિશેષતાઓ:**ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય:* મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાતRERAપોર્ટલ દ્વારા ફરિયાદ…
‘ઝેરમુક્ત ભારત: ગાય,ગામ,કૃષિ યાત્રા’-ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાનો રાજ્યપાલે આરંભ કરાવ્યોરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા પાસે ૪૦ ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ-પ્રાકૃતિક કૃષિથી આવક વધવા સાથે અનેક ફાયદા થાય છે: રાજ્યપાલશ્રીરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામ પાસે ગીર ગૌ જતન સંસ્થાન ખાતે ૪૦ ગામના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જેમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવીને ઝેરમુક્ત ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રીએ‘ઝેરમુક્ત ભારત: ગાય,ગામ,કૃષિ યાત્રા‘ –ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું.પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,રાસાયણિક ખેતી છોડી દેવાથી ઉત્પાદન ઘટશે તેવો ભય ખેડૂતોમાં છે,પરંતુ મારા સહિત…
એસ.ટી નિગમનો નવતર અભિગમ –વિમાન અને રેલવે જેવી સુવિધા હવે ગુજરાતની એસ.ટી બસમાંરાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી,સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી,માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે.એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS)પેકડ ફૂડ મળી રહે છે. આ…
પ્રતિનિધિ મંડળ સાથે એડવાઇઝરી, ફાઈનાન્સિયલ, એક્શન ટેકન રિપોર્ટ, ટુરિઝમ વિભાગની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરાઇગાંધીનગર, હરિયાણા વિધાનસભાના જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ શ્રી રામકુમાર ગૌતમ સહિત ૯ ધારાસભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ પાંચ દિવસના અભ્યાસ પ્રવાસે ગુજરાત પધાર્યું છે, જે આગામી તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રોકાશે. આ અભ્યાસ પ્રવાસના ભાગરૂપે પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી, જ્યાં એડવાઇઝરી, ફાઈનાન્સિયલ, એક્શન ટેકન રિપોર્ટ, ટુરિઝમ વિભાગની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે હરિયાણા વિધાનસભા જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી રામકુમાર ગૌતમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી વિકાસકાર્યો થકી…
