Author: gujarat

અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટનું અવલોકન હતું કે, આરોપીઓ સામે ચાર્જળેમ કરવા માટેના પુરતા પુરાવા છે. જયારે કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સીઈઓ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી હુકમ માટે ૧૬મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.આ કાંડમાં હોસ્પિટલે કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યા હતા.આ મામલે ડો. સંજય અને રાજશ્રી કોઠારીએ ડિસ્ચાર્જ અરજી કરી હતી.જેમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યુ હતુ કે, આ આરોપીઓ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સ હોવાથી આર્થિક રીતે…

Read More

પશુપાલકશ્રીગોપાલભાઈરબારીનીદેશીગાયનેદોહી ભારતીયસંસ્કૃતિમાંગાયનામહત્વનેઉજાગરકરતારાજ્યપાલરાજ્યપાલશ્રીએખેડૂતશ્રીનટુભાઈલવજીભાઈરોહિતના ઘરેરાત્રીભોજનલઈસામાજિકસમરસતાઆપ્યોદાખલોરાજ્યપાલશ્રીઆચાર્યદેવવ્રતજીએઆણંદજિલ્લાનાસોજીત્રાતાલુકાનાપલોલગામનીમુલાકાતલઈગ્રામીણસંસ્કૃતિનેમાણીહતી.રાજ્યપાલશ્રીએપલોલગામનાખેડૂતો,પશુપાલકોનીમુલાકાતલઈસ્વચ્છતા,પશુપાલનઅનેપ્રાકૃતિકખેતીવિષયોપરવાતચીતકરીહતી.રાજયપાલશ્રીએપલોલગામનાપશુપાલકઅનેખેડૂતશ્રીગોપાલભાઈરબારીનીદેશીગાયનેદોહીભારતીયસંસ્કૃતિમાંગાયનામહત્વનેઉજાગરકર્યુંહતુ.તેમણેગોપાલભાઈદ્વારાકરવામાંઆવતાગૌસંવર્ધનનુંપ્રત્યક્ષનિદર્શનકર્યુંહતું.આઉપરાંતતેમણેપલોલગામમાંપશુપાલનવ્યવસાયબાબતેવાતચીતકરીહતી.સાથેજપ્રાકૃતિકકૃષિમાંદેશીગાયનામહત્વવિશેપણમાર્ગદર્શનઆપ્યુંહતું.વધુમાંરાજ્યપાલશ્રીએપલોલગામેસામાજિકસમરસતાનીમિશાલઆપતાગ્રામીણશ્રીનટુભાઈલવજીભાઈરોહિતનાઘરેરાત્રીભોજનલીધુંહતું.રાજ્યપાલશ્રીનેદાળભાત,તુવેરપાપડીનુંશાક,રોટલીઅનેદૂધપીરસવામાંઆવ્યુંહતું.ભોજનદરમિયાનરાજ્યપાલશ્રીએવડીલસહજભાવેપરિવારનીવિગતોમેળવીપરિવારનાબાળકોનેભણીગણીનેઉજ્જવળભવિષ્યબનાવવાપ્રેરણાપૂરીપાડીહતી..રાજ્યપાલશ્રીએઆતિથ્યસત્કારબદલપરિવારનોઆભારમાન્યોહતો..આઉપરાંતરાજ્યપાલશ્રીએનટુભાઈનાઆડોશપડોશમાંરહેતાલોકોસાથેપણચર્ચાકરીનેતેમનીસાથેશુભેચ્છામુલાકાતકરીહતી.આણંદજિલ્લાનાસોજીત્રાતાલુકાનાપલોલગામનીમુલાકાતેપધારેલારાજ્યપાલશ્રીઆચાર્યદેવવ્રતજીએગ્રામજનોસાથેમળીસફાઈકરીહતી.રાજ્યપાલશ્રીએઝાડુંલગાવીગ્રામજનોનેસ્વચ્છતાનુંમહત્વસમજાવીસ્વચ્છભારતનોસંદેશઆપ્યોહતોસાથેજગામનાસફાઈકર્મીઓનુંપણજાહેરમાંસન્માનકરીતેમનોઉત્સાહવધાર્યોહતો.આતકેરાજ્યપાલશ્રીઆચાર્યદેવવ્રતજીએસ્વચ્છતા,વ્યસનમુક્તિ,સામાજિકસમરસતા,આરોગ્ય,પર્યાવરણઅનેપ્રાકૃતિકખેતીજેવામુદ્દાઓપરજનજાગૃતિવધેતેવુંસૂચનકર્યુંહતું..રાજ્યપાલશ્રીએજણાવ્યુંહતુંકેઆજેભણેલાગણેલાલોકોમાંવ્યસનનુંપ્રમાણવધવુંએચિંતાજનકબાબતછે.જોમોટાલોકોસ્વયંસારાકામોકરશેતોનાનાબાળકોમાંસુટેવોકેળવાશે.આચાર્યશ્રીદેવવ્રતજીએપલોલનેસ્વચ્છગ્રામબનાવવાસૌગ્રામજનોનેકાર્યાન્વિતથવાઅપીલકરીહતી.આમાટેગામનીપ્રત્યેકશેરીદીઠસ્વચ્છતાનીટુકડીઓબનાવીઆયોજનપ્રમાણેકામકરવાસૂચનકર્યુંહતું.

Read More

એજન્સી) કલોલ, ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં ૫ શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક અને તેના મિત્રો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ આરોપી રિક્ષામાં આવીને ઘટનાને અંજામ આપ્યું હતું.સમગ્ર મામલે કલોલ શહેર પોલીસે પાંચેય આરોપી વિરૂદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં શનિવારે (૧૩ ડિસેમ્બર) પુત્રની સામે જ પિતાની તેના જન્મદિવસે ધાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.પોલીસ ફરિયાદ મુજબ ગત ૧૦ ડિસેમ્બરના રોજ મૃતક ખેંગાર સવાભાઈ પરમારના મિત્ર અશોકજી ઠાકોરના દીકરાના લગ્ન…

Read More

(એજન્સી)જુનાગઢ, સિંહ ક્યારે માનવોનો શિકાર કરતા નથી, ન તો માણસો પર હુમલો કરે છે. ગીરના જંગલમાં સિંહો અને માણસો અરસ-પરસ રહે છે તેવા અસંખ્યા દાખલા છે. પરંતુ અમરેલીના સિંહો માનવ લોહી ચાખી ગયાનું લાગી રહ્યું છે.અમરેલીમાં સિંહોના માણસો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીમાં સિંહે ખેત મજૂર પર હુમલો કર્યાની ઘટના બની છે. એક મહિનામાં સિંહના હુમલાની બનેલની આ ચોથી ઘટના છે.અમરેલીના વિઠલપુર સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહ દ્વારા ખેત મજૂર પર હુમલો કરાયો છે. વાડીમાં પાણી વાળવા જતા સિંહ ઓચિંતા સામે આવી જતા હુમલો કર્યો હતો. મજૂર કેરમ નાયક (ઉંમર ૨૭ વર્ષ) ઈજાગ્રસ્ત થતા અમરેલી હોસ્પિટલમાં સારવાર…

Read More

(એજન્સી)અમદાવાદ, શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે. આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે. થોળ પક્ષી ગણતરીના ડેટા પર નજર કરીએ તો, ૨૦૦૪ અને ૨૦૨૪ વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે.વર્ષ ૨૦૦૪માં અહીં કુલ ૧૮,૩૭૨ (અઢાર હજાર ત્રણસો બોતેર) પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૪માં આ આંકડો ત્રણ ગણો વધીને ૫૫,૫૮૯ (પંચાવન હજાર પાંચસો નેવ્યાસી) પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે થોળ હવે આંતરરાષ્ટ્રીય પક્ષીઓ માટે એક…

Read More

(એજન્સી)હિંમતનગર, મહિલાની સુંદરતા એના વાળમાં હોય છે અને તેનાથી મહિલાઓ સુંદર લાગતી હોય છે ત્યારે ઈડર તાલુકાના ખોડમ ગામની દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે સંપૂર્ણ મુંડન કરાવી વાળનું દાન કર્યું છે.આમ તો દામિની પટેલ સાયબર ક્રાઈમમાં પોલીસની નોકરી કરે છે. તેમની એક મિત્ર અનુબેને આ પ્રકારના વાળનું દાન કર્યું અને તેમને વાત કરી તો તેમણે પણ સંપૂર્ણ વાળ દાન કર્યા છે. દામિની પટેલ માને છે કે લોકો ચીજવસ્તુ કે પૈસાનું દાન કરતા હોય છે ત્યારે તેમને અન્ય મહિલાને સુંદર બનાવવા માટે વાળનું દાન કર્યું છે.વાળનું દાન સંવેદના, લાગણી સાથે જોડાયેલ છે પણ વાળ તો થોડા સમયમાં પાછા આવી જશે…

Read More

નિલેશ ભગવાનની પૂજા કરવા માટે ફૂલ લઈને બાઈક પર આવતો હતો-ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે યુવક બન્યો ચોર(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરીને કૃષ્ણનગર અને માધવપુરામાં મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ભગવાનની પૂજા કરીને ચોરી કરતો શખ્સ પકડાયો છે. અમદાવાદના મંદિરોમાં ભગવાનની આરતી અને પૂજા કરીને ચાંદીની વસ્તુઓની ચોરી કરતો હતો. જોકે, તેની પૂછપરછમાં ખુલાસો થયો કે, ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે તે ચોરી કરતો હતો.આરોપી નિલેશ હસમુખભાઈ આડેસરાની મંદિર ચોરી કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ચોર મંદિરમાં ચોરી કરતા પહેલા ભગવાનની આરતી કરીને પૂજા કરતો હતો અને ત્યાર બાદ મંદિરની કિંમતી વસ્તીઓ ચોરીને…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને તેની સતત હળવાશ માટે ‘મી.કુલ’નું બિરૂદ આપવામાં આપવામા આવ્યું હતું.હવે એ બિરૂદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી શકાય તેવી સ્થિતિ છે.મુખ્યમંત્રીની વિશેષતા એ છે કે તેઓ કાયમ હળવાફૂલ હોય છે અને બાળકની જેમ ખડખડાટ હસી શકે છે.તાજેતરમા પાલનપુરમાં યોજાયેલ એક સરકારી કાર્યક્રમમાં તેઓએ ભરપૂર હળવાશથી હસતા હસતા કહ્યું કે‘હું હમણાં કુંવરજીભાઇ (બાવળિયા)ને કહેતો હતો કે અહીં આપણી બે સિવાય બધા જુવાન બેઠા છે અને એમાં અધ્યક્ષ શંકર ચૌધરીનો પણ સમાવેશ થઈ જાય છે’ આટલું કહીને ભૂપેન્દ્ર પટેલ મુક્તપણે હસી પડેલા અને મુખ્યમંત્રીના આ વિધાનથી શંકર ચૌધરી પણ મલકાઈ ઊઠ્‌યા હતા.ધ્રાંગધ્રાના ભા.જ.પ.ના…

Read More

સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રીઆણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે શ્રી ભુલાભાઇ જોરાભાઈ પટેલ,પે સેન્ટર,પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રી વિશ્રામ કર્યો હતો. સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ દરમ્યાન રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી જાણવાનો અનુભવ કર્યો હતો.આજે સવારે વહેલા ઊઠીને રાજ્યપાલશ્રીએ શાળાના ઓરડામાં જ યોગ,પ્રાણાયામ સાથે તેમના દિવસની શરૂઆત કરી હતી. રાજ્યપાલશ્રીએ સવારમાં પ્રાથમિક શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કક્ષમાં પહોંચીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ભણી ગણીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી તેમજ વ્યક્તિત્વ વિકાસ કરી સમાજ,રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા પૂરી…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ચિત્રલેખાના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી થયા• ચિત્રલેખા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું બ્રાન્ડ એમ્બેસેડર-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ• ચિત્રલેખા ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનનું પ્રતિબિંબ રહ્યું છે• સ્વદેશી અભિયાનમાં ચિત્રલેખા જનજાગૃતિ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચિત્રલેખાના ૭૫ વર્ષની ઉજવણીમાં જણાવ્યું હતું કે દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી તેમજ વંદે માતરમની પણ ૧૫૦ વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે ચિત્રલેખાની ૭૫ વર્ષની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે. ગુજરાતી પરિવારોનું સભ્ય બની ગયેલું ચિત્રલેખા ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનનું પ્રતિબિંબ રહ્યું છે,એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી…

Read More