Author: gujarat

આણંદ, ઉમરેઠ પોલીસની ટીમે ધુળેટા કેનાલ પાસેથી હાઇવે ઉપરની ઉભેલી ટ્રકોમાંથી ચોરેલા ડીઝલ લઈને જઈ રહેલ ઠાસરા પંથકની ઓઇલ ચોર ગેંગને સાધનો અને બે કાર સાથે ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી કુલ રૂ.૮,૭૯,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેમની આકરી પૂછતાછ શરૂ કરી છેઉમરેઠના હે.કો. રાકેશભાઈ, પો.કો. મૂળરાજસિંહ, યશરાજસિંહ, વિક્રમભાઈ અને સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.આ દરમિયાન હે.કો. રાકેશભાઈને બાતમી મળી હતી કે, ચંદ્રપાલસિંહ ઉર્ફે કોયલો રાજેન્દ્રસિંહ સોઢા પરમાર (રહે.જેસાપુરા. લાંબુ ફળિયું , તા ઠાસરા) પોતાની ટોળકીને લઈને સિલ્વર રંગની આઈ ૨૦ ગાડી નંબર જીજે ૧૬ સીબી ૪૮૭૬ તથા ક્રેટા ગાડી નંબર જીજે ૬ એલઈ ૩૧૦૯ લઈને નીકળ્યા છે. તેઓ…

Read More

આણંદ, હાલ ગાંધીનગર રહેતા અને સોનું પહેરવાના શોખીન એવા મૂળ ચૈન્નાઈ નજીક રાયપુરમના વેપારીને આણંદના નાપાની ઠગ ટોળીએ સસ્તા ભાવે સોનું આપવાના બહાને કુલ ૨.૧૦ કરોડની માતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. નાપામાં ફાર્મ હાઉસ ખાતે બોલાવીને ચામાં ઘેનયુક્ત પદાર્થ ભેળવીને બેભાન કરી ઠગ ટોળકી ફરાર થઈ જતાં બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી છે.ગાંધીનગર ખાતે રહેતા મુકેશ સુબ્રમણ્યમ નાયડુ અનંત એજ્યુકેશન નામથી એડમીશન કેરિયર કાઉન્સીલ ચલાવતા હતા. ત્રણેક વર્ષ પહેલા સીલ્વર ઓક યુનિવર્સિટી, ગોતા, અમદાવાદ ખાતે કચ્છ ખાતે રહેતા મહેન્દ્રસિંહ રાજપુત સાથે ઓળખાણ થઈ હતી. મુકેશભાઈને સોનું પહેરવાનો શોખ હોય, મહેન્દ્રસિંહે નાપા ખાતે રાજુભાઈ પટેલ…

Read More

રાજકોટ, ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું.આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે રૂ. ૭૦ લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. ૯ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉં. ૫૦)નું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસ ટીમ ત્યાં…

Read More

ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી સારા નફાની લાલચ આપી ગઠિયાઓએ ૧૫.૯૫ લાખ રૃપિયા ખંખેરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને લોભામણી લાલચો આપીને રોકાણ કરાવીને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતો યુવાન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો હતો.જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ પેથાપુરમાં મુલચંદ પાર્ક ખાતે…

Read More

ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુર પંથકમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામમાં રહેતી પરિવારની દીકરીને ગત ૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આરોપી અક્ષય ભરતભાઈ દંતાણી રહે, સરઢવ, ઓગળિયા વાસ દ્વારા લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ નવસારી ખાતે આંબાવાડીમાં રાખીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો અને ગર્ભવતી બનાવી…

Read More

ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી કાવતરૂં ઘડીને પિતરાઈ ભાઈને જ સોપારી આપી હતી(એજન્સી)રાજકોટ, ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું.આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે રૂ. ૭૦ લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. ૯ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં…

Read More

(એજન્સી)ગાંધીનગર,ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી સારા નફાની લાલચ આપી ગઠિયાઓએ ૧૫.૯૫ લાખ રૃપિયા ખંખેરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને લોભામણી લાલચો આપીને રોકાણ કરાવીને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતો યુવાન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો હતો.જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ પેથાપુરમાં મુલચંદ પાર્ક ખાતે રહેતા…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 16 જેટલા જૂના બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ માટે બ્રિજ પરથી ભારે વાહન પસાર ન થાય તે માટે રિસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવા માટેનું રૂ. 2.89 કરોડનું સિંગલ ટેન્ડર આવ્યું હોવાથી રિ-ટેન્ડરીંગ કરવામાં આવનાર છે.આમ, આ પ્રક્રિયા પુર્ણ થયા બાદ હાઈટ બેરિયર લગાવાશે, જેના કારણે ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં. 16 બ્રિજ પર 28 જેટલા રીસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 બ્રિજ પર એક અને 12 બ્રિજ પર 2 હાઈટ બેરિયર…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓની સમસ્યા હજુ યથાવત છે, ત્યાં જ હવે કપિરાજના ઝુંડે નવા નરોડા વિસ્તારમાં આતંક મચાવ્યો છે. હાલ કપિરાજના આતંકની સૌથી તાજેતરની ઘટના નવા નરોડા વિસ્તારમાં આકાશગંગા રોડ પર આવેલા રાધે બંગ્લોઝની બાજુમાં બની હતી. છેલ્લા બે દિવસમાં એક જ ઝુંડના આક્રમક વાંદરાઓએ ૮થી વધુ લોકો પર હુમલો કર્યો છે, જેમાં મોટા ભાગના લોકોના પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.તાજેતરમાં અમદાવાદના નવા નરોડા વિસ્તારની ઘટના અંગે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીં કપિરાજ સીધો માણસ પર તૂટી પડ્‌યો હતો. આ હુમલામાં કપિરાજે પગ અને હાથમાં બચકા ભરીને માંસનો લોચો બહાર કાઢી નાખ્યો હતો. જેથી…

Read More

અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી એરીયામાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી કરાઈ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે.જેમાં લિફ્‌ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની ૮થી ૧૦ ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતાફાયર બ્રિગેડ દ્વારા…

Read More