(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનમાં ખોખરા વોર્ડમાં આવેલ હયાત ખોખરા રેલ્વે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગ્મેનટેશન ના ભાગરૂપે હયાત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખી ૨૦ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટની ઓવર હેડ ટાંકીતથા ૫.૭૦ મિલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભુર્ગભ ટાંકી બનાવવામાં આવશે. તેમજ જરૂરીયાત મુજબ નેટવર્ક નાંખવાના અને ઈલેકટ્રીકલ/મીકેનીકલ કામ તથા પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિતની કામગીરી થશે. જેના માટે રૂ.15.52 કરોડ નો ખર્ચ થશે.મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગડીયા ના જણાવ્યા મુજબ દક્ષિણઝોનના ખોખરા વોર્ડમાં આવેલ ખોખરા રેલ્વે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે હયાત ભુગર્ભ ટાંકી ક્ષમતા ૧૩.૬૨ મીલીયન લીટર તથા ઓવરહેડ ટાંકી ક્ષમતા ૦.૯૧ મીલીયન લીટર છે.જેમાં…
Author: gujarat
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા.કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી…
Valsad Bridge Collapse: વલસાડ જિલ્લાના કૈલાશ માર્ગ પર ઔરંગા નદી ઉપર નિર્માણાધીન નવા પુલમાં અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. પુલના બે પિલર વચ્ચે મૂકવામાં આવેલ ગર્ડર અચાનક તૂટીને નીચે પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના સમયે બાંધકામનું કામ ચાલુ હોવાથી મજૂરો સ્થળ પર હાજર હતા. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જ્યો હતો.ચાર મજૂરો ઘાયલ, તાત્કાલિક સારવાર માટે ખસેડાયાગર્ડર ધરાશાયી થતાં ચાર મજૂરો કાટમાળમાં ફસાઈ ગયા હતા. આસપાસ કામ કરતા લોકો અને સ્થાનિક નાગરિકોએ તરત દોડી આવીને ઘાયલ મજૂરોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.વહીવટી તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાદુર્ઘટનાની…
લીલિયા મોટામાં ભૂગર્ભ ગટરના રિપેરીંગ કામની સરપ્રાઈઝ વિઝિટ કરતા ડીડીઓઅમરેલી, લીલિયા મોટામાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી ભૂગર્ભ ગટરનું કામ સરકારી ધારા ધોરણ મુજબ થતું ન હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા વિકાસ અધિકારી સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા અને નબળી કામગીરી થતી હોવાનું જણાતા સુપરવાઈઝરનો ઉધડો લીધો હતો.લીલિયા મોટા ખાતે અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવેલી તે સંપૂર્ણ નિષ્ંફળ નીવડી હતી જેના કારણે પાછલા એક દાયકા ઉપરાંતના સમયથી ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે.આ પ્રરે ગ્રામજનોએ અનેકવાર ઉગ્ર આંદોલન કરી સરકારના કાને અવાજ પહોંચાડવા પ્રયાસો કરેલા અને વેપારી અગ્રણીએ હાઈકોર્ટમાં ભૂગર્ભ ગટર પ્રશ્ર પી.એલ.આઈ દાખલ કરી હતી તેને…
દર્દી બનીને બે ઠગે ૫ લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોર્યા -બે ઈસમો દર્દી બનીને આવ્યા હતા(એજન્સી)અમદાવાદ, વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉ. પ્રવીણના ક્લિનિકમાં એક સનસનાટીભર્યો ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જ્યાં દર્દી બનીને આવેલા બે ઠગોએ ડૉક્ટરને વાતોમાં ફસાવી ડ્રોવરમાંથી રૂપિયા ૫ લાખની રોકડ રકમ સેરવી લીધી હતી.ડૉ. પ્રવીણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેÂક્નકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આખરે સીસીટીવી ફૂટેજની મદદથી બે આરોપીઓ રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોરને પકડી પાડવામાં આવ્યા છે, જેઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે અને હાલ સાબરમતી વિસ્તારમાં રહે છે. પોલીસે ચોરીમાં વપરાયેલી કાર અને રોકડ રકમ પણ કબજે…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના નારોલ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં સંબંધોમાં વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ પાસે સોમવારે સાંજે એક મિત્રએ તેના જ મિત્ર પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર નારોલ વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.ઘટનાસ્થળે હાજર લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘાયલ વ્યક્તિની હાલત હાલ સ્થિર છે અને તેની સઘન સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક…
સમાજમાં જાતિ સમાનતાની ભાવનાને મજબૂત બનાવતાં સ્ત્રી-પુરુષ સમાનતાના મહત્વ વિશે સમજણ અપાઈઅમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાણંદ તાલુકાના ચેખલા ગામે ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ યોજના અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો સાથે જાતિ સમાનતા અંગેનો એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાતિ સમાનતાની ભાવનાને મજબૂત બનાવવાનો અને છોકરીઓના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.કાર્યક્રમમાં સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેન યોજનાના જેન્ડર સ્પેશિયલિસ્ટ શ્રી જીતેશભાઈ સોલંકી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સ્ત્રી-પુરુષ સમાનતા, છોકરીઓના હકો, સુરક્ષા, શિક્ષણનું મહત્વ અને સમાજમાંથી લિંગભેદ દૂર કરવાની આવશ્યકતા જેવા મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી હતી.વધુમાં, શ્રી જીતેશભાઈએ બહેનોને તેમના દૈનિક…
વસ્ત્રાપુરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિક ભાઈ-બહેનો માટે મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયોઅમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અવર કન્સ્ટ્રક્શન સાઈટ પર કાર્યરત શ્રમિક ભાઈ-બહેનો માટે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી વૃત્તિકા વેગડા અને કાયદાના જાણકાર શ્રી ગૌરવભાઈ ઠક્કર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013 (POSH Act) અંગે વિગતવાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શ્રમિક બહેનોને કાર્યસ્થળે સલામત અને માનસભર વાતાવરણ મળી રહે તે માટે કાયદાની મુખ્ય જોગવાઈઓ,…
તંત્ર દ્વારા આ તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલીક ખુલાસો મંગાવાયોઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ,સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી,નમનીધી ફાર્મા,નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી,વેજલપુર અને એપોલો ફાર્મસી,પ્રહલાદનગરનો સમાવેશઅમદાવાદ, રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલા વિવિધ ૮ જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ,સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી,નમનીધી ફાર્મા,નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ…
Cyber Crime Simcard Scam: અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા કુલદીપ ભુવાજી સામાન્ય પરિવારમાંથી આવતા હતા, પરંતુ થોડા મહિનાઓમાં જ તેમની જીવનશૈલીમાં મોટો ફેરફાર દેખાવા લાગ્યો હતો. નજીકનાં લોકોએ નોંધ્યું કે તેમની દુબઈ આવનજાવનની આવૃત્તિ વધી હતી અને ખર્ચાળ જીવનશૈલી અપનાવવાની શરૂઆત થઈ હતી. સામાન્ય રીતે મિતવ્યયી રહેનારા કુલદીપ હવે સખત છૂટથી રૂપિયા ખર્ચતા જોવા મળતા. આ બદલાવ પાછળની વાસ્તવિકતા પછી બહાર આવી કે દુબઈમાં સ્થાયી ‘ગુજરાતી લાદેન’ના નેટવર્ક સાથે તેમના સંબંધો જોડાઈ ગયાં હતાં. આ જ કડી અંકાનમાં આવતા પોલીસ તપાસે સમગ્ર કાવતરું ખુલ્લું પાડ્યું હતું.ડિજિટલ બંદી બનાવવાની ફરિયાદ અને તપાસની શરૂઆતએક સિનિયર નાગરિકે સાયબર ગઠિયાઓ દ્વારા ‘ડિજિટલ ઍરેસ્ટ’ કરાયા હોવાનો આક્ષેપ…
