ઉમેદવારો પોતાના માધ્યમ,વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશેAhmedabad, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તા. ૧૦ થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં શાળા પસંદગી આપી શકશે.જે અન્વયે ઉમેદવારો વેબસાઇટ https://gserc.in/ પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી આપી શકશે, તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં…
Author: gujarat
Pakistan Refugees CAA: પાકિસ્તાનથી આવેલા ૧૯૫ લોકોને ભારતની નાગરિકતા મળી ગઈ છે. આ ૧૯૫ લોકો એવા છે, જેમણે પાકિસ્તાનમાં મળેલી સતામણી પછી ભારતમાં સ્થળાંતર કર્યું હતું. આમાંથી ૧૨૨ લોકોને સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ એટલે કે CAA હેઠળ નાગરિકતા આપવામાં આવી. નાગરિકતા મેળવનારાઓમાં પાકિસ્તાનમાં લઘુમતી દરજ્જો ધરાવતા હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના નાગરિકો સામેલ છે.આ તમામ ૧૯૫ પાકિસ્તાની વિસ્થાપિતોને ગુરુવારના દિવસે સર્ટિફિકેટ વહેંચવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવી પણ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૯૫ લોકોમાંથી ૧૨૨ ને CAA અને ૭૩ ને બીજા નિયમો હેઠળ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ લોકોએ અમદાવાદ જિલ્લા કલેક્ટર ઑફિસમાં અરજી કરી હતી.૧. સુરક્ષાના…
ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધા – નિબંધ સ્પર્ધાના12વિજેતા છાત્રોને પ્રમાણપત્રો એનાયત થયા“સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ::મુખ્યમંત્રીશ્રી::Øહક્ક બહારનું લેવાય જ નહીં એ આપણી સંસ્કૃતિની વિરાસતના સંસ્કાર છેØજે કાર્ય કરીએ ફરજ બજાવીએ તેનાથી આત્મસંતોષ થાય તે જ સાચી ફરજ નિષ્ઠાØલાંચ–રૂશ્વત વિરોધી બ્યુરો એ.સી.બી.ની છાપ જ એવી હોય કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીંઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે,એ.સી.બી.એ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ…
Gujarat Leaders 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત છેલ્લાં ૧૨ વર્ષોથી રાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. આ બંને દિગ્ગજ નેતાઓના ગઢમાં કોંગ્રેસે અધિવેશન યોજ્યું, તો રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે પણ સતત મુલાકાતો લીધી, પરંતુ વર્ષ ૨૦૨૫માં રાજ્યમાં એવા ૧૦ નેતાઓ ચર્ચામાં રહ્યા જેમણે સૌનું ધ્યાન ખેંચ્યું.૧. હર્ષ સંઘવી (૪૦): વડાપ્રધાન મોદીના CM કાર્યકાળ પછી ૨૦૧૨માં મજૂરા બેઠક પરથી જીતેલા હર્ષ સંઘવીને ૨૦૨૧માં ‘નો રિપીટ’ થિયરી પછી ગૃહ રાજ્ય મંત્રી બનવાનો મોકો મળ્યો. ૨૦૨૫માં તેમને મોટું પ્રમોશન મળ્યું અને તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) બન્યા. ગૃહ, પરિવહન અને પર્યટન જેવા મહત્ત્વપૂર્ણ વિભાગો…
મહેસાણા, વિજાપુર પંથકની એક સગીરા સાથે દુષ્કર્મ આચરી ફોટા પાડી બ્લેકમેઈલ કરી ચાર મહિનામાં અવારનવાર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી તેમજ બે સહઆરોપીને મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજે ૨૦ વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂ.૪૪ હજારનો દંડ ફટકાર્યાે છે.વિજાપુરના મંડાલી (ખરોડ)નો ઠાકોર નિકુલજી પ્રધાનજી પંથકની એક સગીરાનો અવારનવાર પીછો કરતો હતો અને ગત તા.૮-૪-૨૪ની રાત્રિએ તેણી ઘરે એકલી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા.જે ફોટા વાઈરલ કરવાની તેમજ પરિવારજનોને છોડીશ નહીં તેવી ધમકી આપી નિકુલજીએ ૬-૮-૨૪ સુધી અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૭-૮-૨૪ના રોજ અન્ય મિત્રોની મદદથી તેણી તથા તેની બે સખીઓનું કારમાં અપહરણ કરીને…
Pakistani Fisherman Arrested: ગુજરાતના કચ્છ સાથે જોડાયેલી સમુદ્રી સીમામાં ઘૂસણખોરી કરવા બદલ ભારતીય તટરક્ષક દળે (Indian Coast Guard – ICG) ૧૧ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો ‘અલ વાલી’ નામની એક માછીમારીની બોટ પર સવાર હતા. પ્રારંભિક પૂછપરછમાં તમામે પોતાને માછીમાર ગણાવ્યા છે, પરંતુ કોઈ પણ મંજૂરી વગર ભારતીય સીમામાં પ્રવેશ કરવા બદલ તટરક્ષક દળોએ તેમની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ ૧૧ પાકિસ્તાની નાગરિકોની જખૌ પોર્ટ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. તટરક્ષક દળોની પકડમાં આવેલા ૧૧ પાકિસ્તાનીઓમાં ૨ સગીરો પણ સામેલ છે.૧. ‘અલ વાલી’ બોટ જપ્તમાહિતી અનુસાર, ભારતીય તટરક્ષક દળે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ભારતીય જળક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવેશના…
ભુજ, કચ્છમાં નખત્રાણાના મુરૂ ગામનો ૨૦ વર્ષીય યુવક છ દિવસથી ગુમ હતો. આ મામલે પોલીસે શકમંદને ઉઠાવીને પુછપરછ કરતા તેની હત્યા કરી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. મહિલા સાથે આડાસંબંધમાં મિત્રએ જ હત્યા કરી ધારિયાથી માથું, હાથ-પગ કાપીને બોરવેલમાં નાંખી દીધા હતા.પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.જીઁ વિકાસ સુંડાએ આપેલી માહિતી મુજબ નખત્રાણાના મુરૂ ગામનો ૨૦ વર્ષીય રમેશ મહેશ્વરી નામનો યુવક ૬ દિવસથી ગુમ થયો હતો. જેને પગલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રમેશના મિત્રો તેમજ અન્ય લોકો સાથે તેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન રમેશના મિત્ર પાસેથી રમેશનો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યો…
Bullet Train Gujarat Progress: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ ગુજરાતના ભાગમાં કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સ્ટીલ બ્રિજ અને વડોદરામાં હાઇસ્પીડ રેલ કોરિડોરના ટ્રેકને જોડવાનું કામ ચાલી રહ્યું છે. NHSRCL એ ૫૦૮ કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટના કુલ ૩૩૦ કિમી વાયડક્ટ (એલિવેટેડ માર્ગ)નું કામ પૂર્ણ કરી લીધું છે. રેલ મંત્રાલયના તાજેતરના અપડેટ અનુસાર, પિયર (થાંભલા)નું નિર્માણ ૪૦૬ કિલોમીટર સુધી પહોંચી ગયું છે, જે દેશના આ પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ દર્શાવે છે. બુધવારે સુરત નગર નિગમની કમિશનર આઈએએસ શાલિની અગ્રવાલએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ના કામનું નિરીક્ષણ કર્યું હતું,…
ઓગષ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ,પંચમહાલ,કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના ૬૮,૭૮૭ ખેડૂતોને રૂ. ૨૪૬.૭૦ કરોડની સહાય ચૂકવાઇરાજ્યના કુલ ૩,૭૯,૩૬૭ ખેડૂતો પાસેથી રૂ. ૬૦૪૯.૧૫ કરોડના મૂલ્યની ૮,૪૧,૪૯૪.૯૦ મે.ટન મગફળી,મગ,અડદ અને સોયાબીનની ખરીદી: અંદાજે ૧.૪૭ લાખ ખેડૂતોને રૂ. ૨૩૭૬.૪૫ કરોડની ચુકવણીગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં ૧૧,૧૨,૫૮૫ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ. ૩૩૨૦.૮૯ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ૭,૯૮,૯૭૨…
