(એજન્સી)અમદાવાદ, દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવાના ધાંધિયાથી પ્રવાસીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.અનેક ફ્લાઈટ ૫થી ૧૦ કલાક મોડી પડી રહી છે. પ્રવાસીઓને એરપોર્ટ પહોંચ્યા બાદ ખબર પડે છે કે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો પણ કર્યો હતો. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર આરસીટીસીનું કાઉન્ટર ખૂલતા પ્રવાસીઓ ટ્રેનનું તત્કાલ બુકિંગ કરાવી શકશે, રેલવે દ્વારા આજથી ત્રણ દિવસ એટલે કેસ તા. ૭, ૮ અને ૯ ડિસેમ્બરના રોજ ૮૯ વિશેષ ટ્રેનની ૧૦૦થી વધુ ટ્રિપ્સ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદના રૂટ…
Author: gujarat
(એજન્સી)રાજકોટ, રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે આજે લેઉવા પટેલોનું અનોખું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ત્યારે આ ક્ષણે સૌરાષ્ટ્રના રાજકારણની મોટી તસવીર જોવા મળી. વિવાદો ભૂલીને બે પાટીદારો એક જોવા મળ્યા.કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યાં. ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું.ત્યારે આ પ્રસંગે એક અનોખું મિલન અને સમાજ માટે સુખદ કહી શકાય તેવો દ્રશ્યો જોવા મળ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને…
Love Marriage Rights: ભારતનું બંધારણ દરેક પુખ્ત નાગરિકને એવી વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે જે તેના સમગ્ર જીવનને અસર કરે છે. આર્ટિકલ 21 અંતર્ગત જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર સ્પષ્ટ રીતે જણાવે છે કે પુખ્ત વયનો વ્યક્તિ પોતાનો જીવનસાથી પોતાની પસંદગીથી પસંદ કરી શકે છે. વિરોધાભાસ તો એ છે કે 18 વર્ષની ઉંમરે વ્યક્તિ જનપ્રતિનિધિથી લઈને સંસદ સુધી મત આપી શકે, પરંતુ પોતાના લગ્નના નિર્ણય માટે સમાજ તેને અપરિપક્વ માને છે. આ માનસિકતા માત્ર સામાજિક દંભ નથી, પરંતુ બંધારણના સ્વીકારેલા મૂલ્યોની અવગણના પણ છે.સમાજનું દબાણ કાયદા કરતાં ઉપર ગણાય છે તેવો ખોટો ભ્રમતાજેતરમાં એક સમાજના પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકારને મળીને પ્રેમલગ્ન…
(એજન્સી)સુરત, સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગંભીર દુર્ઘટના ઘટના ઘટી હતી. બરફની ફેક્ટરી પાસેના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં ફ્લેશ ફાયર થયું હતું. જેમાં બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ ચારેય લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાંથી આજે ૨ લોકોના મોત થયા છે.દાઝી ગયેલા લોકોમાં રિન્કી હરિભાઈ પોલાઇ (ઉ.વ. ૧૯), ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ (ઉ.વ. ૨૨) અને ૨૬ વર્ષના સાલુબેન રામકુમાર મોહન તેમજ હરિઓમ સુરેન્દ્ર યાદવ હતા, જેમાંથી સાલુબેન અને રિન્કીબેન જિંદગીને અલવિદા કહ્યું છે. પરિવારજનોમાં આક્રંદ સાથે યોગ્ય તપાસની માંગ કરી…
(એજન્સી)ભૂજ, તાલુકાના કુકમા ગામ નજીક બોરવેલમાં પારિવારીક ઝગડાને લીધે પરપ્રાંતિ યુવાને ઝંપલાવ્યું હતું, વધુ ડાયામીટર ગોળાઈને બોરવેલમાં પડેલો ઝારખંડના ૨૦ વર્ષીય યુવક ૧૫૦ ફુટ ઊંડાઈએ ફસાયો હતો.આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સહિત તંત્ર કામે લાગ્યુ હતું અને આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન નવ કલાકની ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો ન હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ગત સાંજે ૬.૩૮ વાગ્યાની આસપાસ બની હતી.બનાવની વિગત એવી છે કે, મૂળ ઝારખંડ રાજ્યનો વતની રૂસ્તમ શેખ નામનો આ યુવક કુકમા સ્થિત આશાપુરા ટેકરી પાસે ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી…
પ્રીપેઇડ સિસ્ટમ રાખી હોવાના કારણે કનેક્શન આપોઆપ બંધ થઈ ગયું વડોદરા, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આમેય પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે માથાના દુખાવા સમાન છે ત્યારે વીજ નિગમના સપ્લાય માટે બાપોદ ટાંકીનું માર્ટ મીટરના પ્રીપેઇડ કનેક્શનનું રૂ.૬૫૦૦નું નજીવું વીજબિલ નહિં ભરાતા વૈકુંઠ રેસીડેન્સીના ૧૬૦૦ પરિવારોને સવારે ૮ વાગે આવતા પાણીથી વંચિત રહેવું પડ્યું છે.જ્યારે બીજી બાજુ સ્કાડાનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડની સુવિધા હોવા છતાં પણ પ્રીપેઇડ સિસ્ટમ રાખી હોવાના કારણે કનેક્શન આપોઆપ બંધ થઈ ગયું છે પરંતુ તેમાં પાણી વિતરણને કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું.જોકે સ્કાડાના જણાવ્યા મુજબ વાલ્વ ખોલી નાખવામાં આવતા સ્થાનિક લોકોને તાત્કાલિક…
ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘ સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી ઉદબોધનગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સ્નાતક સંઘ સંમેલનના સમાપન સમારોહમાં રાજ્યપાલશ્રી અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીવાદી શિક્ષણ,આત્મનિર્ભરતા,ગ્રામીણ વિકાસ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.રાજ્યપાલશ્રીએ મહાદેવ દેસાઈ એવોર્ડથી સન્માનિત શ્રી ભગવાનદાસ પટેલ સહિત તમામ પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે,કોઈપણ સંસ્થાની સૌથી મોટી સંપત્તિ તેના સ્નાતકો છે. તેઓ સંસ્થાની પ્રતિષ્ઠા અને ગૌરવના સાચા વાહક છે.રાજયપાલશ્રીએ ઉલ્લેખ કર્યો કે,ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પટેલને તાજેતરમાં જ જમનાલાલ બજાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો,જે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ,આરોગ્ય અને સામાજિક ઉત્થાનમાં તેમના…
Øરાજ્યમાં હોમગાર્ડઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે:નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીØહોમગાર્ડઝના જવાનો ચૂંટણી બંદોબસ્ત,ટ્રાફિક ફરજો,રાત્રી પેટ્રોલિંગ,ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છેરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ,૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ થશે.બૃહદ મુંબઇ રાજ્યમાં ૬ઠ્ઠી ડીસેમ્બર,૧૯૪૭ના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર તેમજ કુદરતી અને માનવસર્જિત…
5.08કરોડ ફોર્મ પૈકી74લાખથી વધુ અનકલેક્ટેડ ફોર્મના વેરિફીકેશન માટે બેઠકોની શૃંખલા33જિલ્લાઓમાં4.21લાખથી વધુ સિનિયર સિટીઝન મતદારોની ઓળખ, 11.58લાખથી વધુDSE (ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રી)ની ચકાસણી કરાશેઅમદાવાદ, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જBLOસ્તરથી લઈનેCEOકચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી છે,જેના પરિણામે ગણતરીના તબક્કાની99.76 %કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજીટાઈઝેશનની કામગીરી સુપેરે કરવામાં આવી છે.SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં5.08કરોડ મતદારોને…
જે નિર્દોષ ખાતાધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય તેમનું વેરિફિકેશન કરવું,બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈસાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાGandhinagar, સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો…
