Author: gujarat

અમદાવાદ, મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં યુવકની હત્યા થઇ હતી. આ કેસમાં એક આરોપીને મેઘાણીનગર પોલીસે ગઇકાલે ઝડપી લઇ તપાસ આદરી હતી. જેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આરોપીએ અગાઉ તેના જ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી પોલીસે આરોપી સામે દુષ્કર્મની નવી ફરિયાદ નોંધી તપાસ આદરી છે. હવે પોલીસ તબક્કાવાર બન્ને કેસમાં આરોપીની ધરપકડ કરશે.મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ચંદ્રશેખર તોમરની હત્યા થઇ હતી. આ કેસમાં પોલીસે આરોપી રામકુમારસિંગ ઉર્ફાે છોટુ રામનરેશસિંહ તોમરની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરી ત્યારે આરોપીએ તેના જ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા પર ઓગસ્ટ ૨૦૨૫માં દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થઇ હતી.…

Read More

Real Estate Slowdown: રાજ્યમાં હોમ લોન લેતા લોકોની સંખ્યા વધતી હોવા છતાં, ઘર ખરીદવાની તૈયારીમાં ઝડપ જોવા મળતી નથી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે હોમ લોન વિતરણમાં વર્ષ દર વર્ષની સરખામણીમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. વિતરણ રૂ. 14,266 કરોડથી વધીને રૂ. 16,264 કરોડ થયું છે, પરંતુ લોન લેનારાની સંખ્યા માત્ર 7 ટકા જેટલી વધીને 95,532થી 1.02 લાખ સુધી પહોંચી છે. આ અંતર સ્પષ્ટ કરે છે કે લોકો નવી પ્રોપર્ટી ખરીદવામાં સાવધ દેખાઈ રહ્યા છે.મોટા શહેરોમાં ધિરાણ વધારે છતાં નવા ઘરોની માંગ ઓછીસૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં સર્વાધિક…

Read More

દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ કર્યુ-સ્વબચાવમાં પીઆઈએ આરોપીના પગમાં મારી ગોળી(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન બપોરે ૧૨.૧૫ થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગુનાના રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ રાઠોડ પર હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.આરોપી…

Read More

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ મંગળવારે જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં. આ પછી કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારને નિશાને લીધી. કેજરીવાલે કહ્યું કે, “ગુજરાતની તાનાશાહ ભાજપ સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાથી રોક્યો.” તેમણે કહ્યું કે રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવા માટે મેં અરજી કરી હતી, પરંતુ ક્રૂર સરકારે મંજૂરી ન આપી. તેમણે આરોપ લગાવ્યો કે “એક તરફ ભાજપ સરકારના દમનથી ખેડૂતો દુઃખી છે તો બીજી તરફ લોન લઈને ભણતા બાળકો પેપર લીકથી બેરોજગાર છે.”કેજરીવાલે કહ્યું કે “રાવણ-કંસની જેમ અહંકારમાં ડૂબેલી ભાજપ સરકાર પોતાની વિરુદ્ધ ઉઠનારા…

Read More

અમદાવાદ સહિત ગુજરાતમાં ફલાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવતઅમદાવાદ, દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી સ્ટાફની અછતની કટોકટીનો સોમવારે (૮ ડિસેમ્બર) છઠ્ઠો દિવસ છે. પાઇલટ્‌સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે ગુજરાતના હવાઈ નેટવર્ક પર મોટી અસર પડી છે. રાજ્યના મુખ્ય ઍરપોટ્‌ર્સ પરથી ઇન્ડિગોની અંદાજિત ૨૬ ફ્‌લાઇટ્‌સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે.અમદાવાદ ઍરપોર્ટ પર પરિસ્થિતિ વિકટ બની છે. ઍરપોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આજની દિવસભરની આવતી અને જતી મળીને કુલ ૪૪ ફ્‌લાઇટ્‌સ પર અસર પડી છે. જેમાં સવારના ૯ વાગ્યા સુધીમાં જ ૧૮ ફ્‌લાઇટ રદ કરી દેવામાં આવી હતી. અચાનક ફ્‌લાઇટ રદ થતાં ઍરપોર્ટ પર મુસાફરો પરેશાન જોવા મળ્યા…

Read More

Saffron Cultivation in Gujarat: કાશ્મીરી કેસરની ખેતી માટે ઠંડી આબોહવાની જરૂર હોય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે ફૂલો માટે હળવા સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે. ગુજરાતના વડોદરામાં વૈભવ અને આસ્થા પટેલ નામના કપલે એડવાન્સ્ડ એરોપોનિક્સ ટેક્નોલોજી નો ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. આ કપલે કેસરની ખેતીમાં વિશેષજ્ઞતા હાંસલ કર્યા પછી હવે નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વર્ષે તેમણે કેસરની ખેતીની સુવિધાઓને બમણી કરી દીધી છે. તેમને આ વખતે વધુ સારા પ્રોડક્શનની અપેક્ષા છે.ટેકનિકની મદદથી ઉગાડે છે કેસરગુજરાતના વડોદરા જિલ્લામાં આ પટેલ દંપતીએ મોર્ડન ખેતીમાં નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ એડવાન્સ્ડ ટેક્નોલોજી નો ઉપયોગ કરીને…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના શહેરાભાગોળ રેલ્વે ફાટક પાસે ચાલી રહેલી અન્ડર બ્રિજની કામગીરી મંથરગતિ થતા વિસ્તારનાં રહીશો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. મહિનાઓથી ચાલતું કામ પૂર્ણ ન થતા રોજિંદી અવરજવર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજન અને રોજિંદા મજૂરોને લાંબો ચક્કર મારીને જવું પડતું હોવાને કારણે લોકોમાં રોષનો માહોલ સર્જાયો છે.અન્ડર બ્રિજનું કામ શરૂ થયા બાદ ફાટક વિસ્તાર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે, જેના કારણે શહેરાભાગોળથી શહેરના અન્ય વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી વધી ગઈ છે. સ્થાનિકો કહે છે કે કામની ગતિ અત્યંત ધીમી છે અને તંત્ર તરફથી કામ ઝડપે પૂર્ણ કરવા કોઈ ખાસ પ્રયત્નો નજરે નથી…

Read More

Girl brutally raped in Rajkot: ગુજરાતના રાજકોટ જિલ્લામાં નિર્ભયા કાંડ જેવી દરિંદગી ની ઘટના સામે આવી છે. અટકોટ પોલીસ સ્ટેશન ના અધિકારક્ષેત્ર હેઠળના એક ગામમાં સાત વર્ષની બાળકી પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખીને તેને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી. પોલીસે આ મામલામાં 35 વર્ષના આરોપી રામસિંહ ની અટકાયત કરી લીધી છે, જે ત્રણ બાળકોનો પિતા છે. ઘાયલ બાળકીની રાજકોટની સરકારી બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.ઘટનાની વિગતો અને ક્રૂરતાપોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના 4 ડિસેમ્બરના રોજ બની જ્યારે બાળકીના માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા.અપહરણ…

Read More

(પ્રતિનિધિ) સાવરકુંડલા તાલુકામાં વિકાસની ગતિને વધુ વેગ આપવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કુલ ₹ ૩.૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.સાવરકુંડલા તાલુકાના ગામોમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત આજે થઈ છે. ગામના નાગરિકો માટે સારો શાસન, સરળ સેવાઓ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી લુવારા,જીરા ,ગોરડકાગામોમાં નવી ગ્રામ પંચાયત (સચિવાલય) ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતુંસીમરણ ગામે દલિતવાસ વિસ્તારમાં સ્લેપ ડ્રેન તેમજ પ્રોટેક્શન વોલ ૬૦ લાખના ખર્ચે બનશે જેથી દલીલવાસ વિસ્તારમાં વર્ષો થી નિકાલની સમસ્યા તથા વરસાદી પાણીના વહેણથી થતી આસપાસની જમીનની કટોકટી જેવા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. સ્લેપડ્રેનના નિર્માણથી પાણી નિકાલની સુવ્યવસ્થા મજબૂત બનશે જ્યારે…

Read More

(એજન્સી)ગાંધીનગર, આગામી ૭ દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી, અને ઠંડીનો વર્તમાન અનુભવ જળવાઈ રહેશે. રાજ્યમાં હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ નીચું તાપમાન નોંધાયું છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન આશરે ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ખાસ કરીને, કચ્છના નલિયામાં તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યના સામાન્ય લઘુતમ તાપમાન કરતાં ૨થી ૪ ડિગ્રી ઓછું છે.હવામાન વિભાગે જણાવ્યા મુજબ, આગામી ૭ દિવસ એટલે કે ૮થી ૧૪ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો…

Read More