૫૦૦ પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત (એજન્સી)ભૂજ, કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મોટી તવાઈ બોલાવવામાં આવી છે. કંડલા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ સપાટો બોલાવી દીધો છે.આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ૪૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ અને ૫૦૦ જેટલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાયેલા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.૧૦૦ એકર જમીન…
Author: gujarat
રાજ્ય સરકાર રિવરફ્રંટ ફેઝ-૪,પ અને ૬ ડેવલપ કરશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પટમાં પ્રથમ તબક્કામાં ૧૧.પ કિ.મી.નો પૂર્વ અને પશ્ચિમ એમ બે છેડે રિવરફ્રંટ તૈયાર કરવામાં આવ્યો છે. વાસણા બેરેજથી વાડજ અને જમાલપુરથી ડફનાળા સુધીનો રિવરફ્રંટ હવે આગળ વિકસી રહયો છે તેમજ આગામી બે-ત્રણ વર્ષમાં જ રિવરફ્રંટ વાસણા બેરેજથી ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધી લઈ જવામાં આવશે જેના માટે રાજય સરકાર દ્વારા ત્રણ તબક્કામાં કામ કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રંટ ફેઝ-૧ નું કામ પૂર્ણ થયા બાદ ફેઝ-ર માં ડફનાળાથી ઈÂન્દરાબ્રીજ સુધીનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે ત્યારબાદ ઈન્દીરાબ્રીજથી નર્મદા કેનાલ સુધી ફેઝ-૩ નું કામ…
Anandiben Patel Speech: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને વર્તમાનમાં ઉત્તર પ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. આનંદીબેન પટેલની આત્મકથા ‘ચુનૌતીયાં મુજે પસંદ હૈ ના ગુજરાતી સંસ્કરણના વિમોચનના અવસરે રવિવારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે આનંદીબેનની લાંબી રાજકીય સફરની ખૂબ વખાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આનંદીબેન પટેલે એક શિક્ષિકાથી લઈને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને રાજ્યપાલના રૂપમાં નારી-શક્તિના નેતૃત્વનું અદ્વિતીય ઉદાહરણ રજૂ કર્યું છે.”દરેક યુવાને વાંચવા જેવું પુસ્તકકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘X’ (ટ્વિટર) પર લખ્યું કે તેમના જીવનના પડકારો…
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ રોડ પર થોડાક સમય અગાઉ એક યુવક-યુવતીએ ગમે તે કારણસર પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારબાદ બંને કોમના પરિવારો વચ્ચે વૈચારીક મતભેદને કારણે મામલો સપાટી પર આવી ગયો હતો ત્યારબાદ રવિવારે હથિયારો સાથે મારા મારી થતાં જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે વડાલીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતોત્યારબાદ યુવતીના પિતાએ મોડેથી ૪૧ જણા વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે પણ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જણાવાયું છે.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાલીમાં રહેતા સગર…
Gujarat Patidar Politics: ગુજરાતમાં જ્યારથી પાટીદારો એટલે કે લેઉવા અને કડવા પટેલ ભાજપના પક્ષમાં આવ્યા છે, ત્યારથી સતત કમળ ખીલી રહ્યું છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ દરમિયાન પટેલોનું પ્રતિનિધિત્વ ભાજપે જાળવી રાખ્યું હતું. ત્યારબાદ આનંદીબેન પટેલ, પછી વિજય રૂપાણીના સમયમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી રહ્યા. હાલમાં ગુજરાતમાં સરકારની કમાન ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે. ભાજપે મંત્રીમંડળમાં ફેરબદલ પછી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ગુજરાતમાં વધેલી સક્રિયતાએ અલગ રાજકીય ચર્ચા છેડી દીધી છે.કાર્યક્રમો: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતિના અવસરે માંડવિયાએ તેમના કરમસદ સ્થિત પૈતૃક ઘરથી કેવડિયા…
અમદાવાદ,૦૯ડિસેમ્બર,૨૦૨૫:બંધન બેંકે તેની સીએસઆર પહેલના ભાગ રૂપે,ભારતભરમાં આપત્તિ સમયે તબીબી સેવાઓની પહોંચ સુધારવા અને વિવિધ સમુદાયો માટે આરોગ્યસંભાળ સેવાઓને વધુ સારી બનાવવા માટે દેશભરમાં ૧૦ સંપૂર્ણ સજ્જ એમ્બ્યુલન્સ દાનઆપીછે,જેમાં બે ગુજરાતનો સમાવેશ થાય છે.બેંકના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જાહેર કરવામાં આવેલી આ પહેલ,હવે એમ્બ્યુલન્સના દાન સાથે અમલમાં મૂકવામાં આવી છે.આ પહેલ બેંકની આરોગ્યસેવાઓની પહોંચ અને સેવાઓની ઝડપી પ્રતિક્રિયા સુધારવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે,જેની મદદથી રોગીઓને આપત્તિના સમયમાં સમયસર તબીબી સહાય મળી શકે તેની ખાતરી થાય છે.સંપૂર્ણ સજ્જ એમ્બ્યુલન્સ ગુજરાતમાં સુમનદીપ વિદ્યાપીઠ (વડોદરા) અને શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન (ખેડા) ને દાનમાં આપવામાં આવી હતી.આ એમ્બ્યુલન્સ દેશભરની સંસ્થાઓને…
અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રનો સંયુક્ત અભિગમ : દૂધના દાનથી બાળ પોષણનો નવતર ઉદ્દયમ-“ગામનો નિર્ધાર,સહકારથી સાકાર” અભિયાનને ખેડા જિલ્લામાં મળી રહી છે સફળતામાતર,નડિયાદ,વસો,મહેમદાવાદ અને કઠલાલમાં અભિયાન વિશે દૂધમંડળીઓને સમજૂત કરાયા–દૂધ ઉત્પાદકોના સહકારથી ખેડા જિલ્લામાં કુપોષિત બાળકો માટે ઉભર્યું માનવતા આધારિત પોષણ અભિયાન“આશીર્વાદ પાત્ર” દ્વારા દૈનિક દૂધ દાન—ખેડા જિલ્લાનું અનોખું સામાજિક પોષણ મોડેલખેડા જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરના રોજ શરૂ થયેલ “ગામનો નિર્ધાર,સહકારથી સાકાર” અભિયાન અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના ઉમદા વિચાર સાથે ખેડા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા એક…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશેદરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશેદરેક મોટા જિલ્લાઓમાં ૧૦૦ પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લાઓમાં ૫૦ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત,મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. ૧૧ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર,૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત…
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની રેડ શરૂ થઇ છે.અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડયા છે. એક સાથે 35 સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 લોકોના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. 150થી વધુ અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે. અમદાવાદમાં સેટેલાઈટ,…
છેલ્લા5વર્ષમાં રૂ.8,499લાખના ખર્ચે1,52,466 ઝૂંપડાઓનુંમફત વીજળીકરણ, 2025-26માટે રૂ.1,617લાખની જોગવાઈવાર્ષિક આવક મર્યાદા છેલ્લા એક દાયકામાં રૂ.27હજારથી વધારી રૂ.1.50લાખ કરવામાં આવીગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે.છેલ્લા5વર્ષમાં આ યોજના હેઠળ રૂ.8,499લાખના ખર્ચે1,52,466ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં;સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ2025-26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે રૂ.1,617લાખના ખર્ચની જોગવાઈ કરી છે. આ સાથે જ;યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે;તે માટે લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.1.50લાખ સુધી કરવામાં આવી છે.નોંધનીય છે કે…
