હિંમતનગર, ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ ૫૫૦ થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી ૧૨ કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો…
Author: gujarat
આણંદ, આણંદ જિલ્લામાં સરકારી કામ પડતું મુકીને હવે ૩૦૦ જેટલા તલાટીઓને રખડતા શ્વાન શોધવાની કામગીરી કરાવડાવશે. જિલ્લા પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫ રખડતા શ્વાન છે, જ્યારે કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન હોવાની માહિતી બહાર આવી છે.ત્યારે હવે સરેરાશ એક તલાટીને ૭૦ શ્વાન પાછળ દોડવું પડશે. આણંદ જિલ્લા પશુ નિયંત્રણ વિભાગ મુજબ જિલ્લાના અંદાજિત ૩૫૯ જેટલા ગામડાઓમાં ૨૧,૧૭૫ જેટલા રખડતા શ્વાન હોવાનું અને કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે માત્ર મનપાના વિસ્તારમાં જ ૧૮,૦૦૦થી વધુ શ્વાન છે.જે માટે રૂપિયા ૧.૮ કરોડની રકમનું ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. જિલ્લા પશુ વિભાગના આંકડા મુજબ આણંદ તાલુકામાં ૩,૬૫૦, આંકલાવ તાલુકામાં ૧,૯૦૮, બોરીઆવીમાં ૨૨૪,…
જીજેઈપીસીએ અમદાવાદ હેન્ડ-કેરેજ સુવિધા માટેની એસઓપીને ઝડપી બનાવવવા કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશ્નરની મુલાકાત લીધીઅમદાવાદ, 4 ડિસેમ્બર, 2025 – અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાતે જેમ્સ એન્ડ જ્વેલરી માલસામાનના હેન્ડ-કેરેજ માટેની મંજૂરી એ ઉદ્યોગ માટે વ્યાપારને સરળ બનાવવા માટેના ભારત સરકાર તથા જીજેઈપીસીના પ્રયાસોમાં વધુ એક મહત્વનું પગલું છે. Hand-Carriage Facility at Ahmedabad Airport Places Gujarat in the International Export Ecosystem: GJEPC.ઓફિશિયલ હેન્ડ-કેરેજ/HBoPસિસ્ટમમાં અમદાવાદનો સમાવેશ અંગે 1 ડિસેમ્બર,2025ના રોજ ડીજીએફટી પબ્લિક નોટિસ નંબર દ્વારા33/2025–26જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે યુએઈ,ઓસ્ટ્રેલિયા અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ઈએફટીએ) દ્વારા ભારત તેની વૈશ્વિક વેપાર ભાગીદારીઓને વધારી…
અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તા. ૭મી ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશેરાજ્યભરમાં 17.30 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 7 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 32.52 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.36 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.આમ, નવી મતદાર યાદીમાંથી આવા અંદાજે 60 લાખ મતદારો ના નામ અત્યાર સુધી કમી કરવામાં આવ્યા છે.રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા…
મ્યુનિ. કોર્પોરેશને માત્ર પેન- પેપર પર જ બ્રીજ ચકાસણી કરી હોય તેમ લાગી રહયું છે: શહેજાદખાન પઠાણ(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સુભાષબ્રિજમાં તિરાડ પડી હોવાના અહેવાલ બહાર આવતા જ તંત્ર દોડતુ થઈ ગયું છે. હાટકેશ્વર બ્રીજની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ સુભાષબ્રીજની બરાબર મધ્યમાં જ મોટી તિરાડ દેખાઈ આવી છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન અને શહેર પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયા છે.નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આ તિરાડ સ્પાનમાં હોવાથી તેના રીપેરીંગ માટે ઓછામાં ઓછા પ મહિનાનો સમય લાગી શકે છે. વિપક્ષ કોંગ્રેસે પણ આ મામલે મ્યુનિ. વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટીને આડા હાથે લીધા છે.અમદાવાદના સુભાષ બ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં પ્રેમસંબંધના જૂના વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ડિલિવરીનું કામ કરતા પ્રવીણભાઈ પર દિનેશ રઘુભાઈ સોલંકી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો.પ્રવીણભાઈને પેટ અને જડબાના ભાગે છરીના ઘા વાગ્યા છે, જેથી તેમને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવકના પત્નીએ આરોપી દિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જીવલેણ હુમલા પાછળનું મૂળ કારણ પ્રવીણભાઈની ભાણેજ પાયલના પ્રેમસંબંધ અને લગ્નનો વિવાદ હતો.પાયલ તેમની ચાલીમાં રહેતા મિલન નામના છોકરાના પ્રેમસંબંધમાં હતી અને બંને એક મહિના પહેલા સાબરમતી ખાતે…
માર્ગ અકસ્માત પીડિતોની કેશલેસ સારવારની ૨૦% અરજીઓ રિજેક્ટ-ડેશબોર્ડ મુજબ ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.૫૯,૭૬૧.૨૬ કરોડના ૩૯.૪૯ કરોડ ચલણ જારી કરાયા હતાંઃ ગડકરી(એજન્સી) નવી દિલ્હી, માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર આપવા માટે સરકારે માર્ચ ૨૦૨૪માં એક સ્કીમ ચાલુ કરી છે. જોકે અત્યાર સુધી અકસ્માત પીડિતોની આશરે ૨૦ ટકા કેશલેસ સારવારની રિકવેસ્ટને પોલીસે નકારી કાઢી છે.લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મોટર વ્હિકલ એક્સિડન્ટ ફંડ હેઠળ આશરે ૭૩.૮૮ લાખનું ભંડોળ છૂટું કરવામાં આવ્યું છે. કેશલેસ સારવાર માટે કુલ ૬,૮૩૩ અરજીઓ થઈ હતી.આમાંથી ૫,૪૮૦ પીડિતોને લાયક ગણવામાં આવ્યાં હતાં. બાકીઓની અરજીઓને…
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સાયન્સ સીટીમાં વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય વ્યક્તિને બોડકદેવમાં આવેલા એક સ્પામાં જઇને મસાજ કરાવવાનું ભારે પડયું હતું. જેમાં મસાજ કરનાર યુવતીએ આધેડનો મોબાઇલ લીધા બાદ તેને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને મોબાઇલ ફોન તેમજ તેના ભાઇના લગ્ન માટે દાગીનાની ખરીદી કરી હતી.ત્યારબાદ યુવતી તેના પતિ અન્ય સ્પાના સંચાલક સાથે આવીને આધેડની શોપ પર આવીને ૨૦ લાખની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા મહિલાએ તેના પતિ અને અન્ય સાગરિત સાથે મળીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના સોલા સાયન્સ સીટી…
(પ્રતિનિધિ) હિંમતનગર, પ્રાંતિજના શહેરીજનો અને આજુબાજુના ગામડાઓમાં રહેતા લોકો રોજબરોજ એક સ્થળેથી બીજા સ્થળે અવર જવર કરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે ત્યારે અત્યારે મોટાભાગની બસો ભાંખરીયા સ્ટેન્ડ પરથી ઉપડે છેઘણી વખત અમદાવાદ જતા મુસાફરોને બસમાં બેસવા માટે હાઈવે ત્રણ રસ્તા પર આવવું પડે છે ત્યારે ગુજરાત રાજય એસટી નિગમ દ્વારા પ્રાંતિજમાં અધતન ડેપો બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ નવીન ડેપોનું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે ત્યારે તેનું લોકાર્પણ થયા બાદ સ્થાનિક તથા ગામડાઓના મુસાફરોને મળતી સુવિધામાં વધારો થશે.આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજમાંથી તલોદ તાલુકો અલગ થયો ત્યારે તલોદમાં રેલ્વે સ્ટેશન નજીક ડેપો ચાલુ હતો જયાં…
