(એજન્સી)અમદાવાદ, દુનિયાના કોઈ પણ ખુણે ક્રિકેટ મેચ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો અમદાવાદમાં જ રમાતો હોય છે. આનંદનગર પોલીસને માહિતી મળીહતી કે આનંદનગર રોડ પર એક યુવક ક્રિકેટ સટ્ટોરમાડે છે. પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેણે આઈડીપાસવર્ડ કોની પાસેથી મેળવ્યા છે.તેની તપાસ શરૂ કરી હતી. પુછપરછ દરમ્યાન સટ્ટો રમાડનાર યુવકે પોતાનું નામ ફેનીલ શાહ હોવાનું અને તે ગાયક કલાકાર હોવાનું જણાવ્યુ છે. પોલીસ વધુ તપાસ કરી રહીછે.ભારત-દક્ષીણ આફ્રીકા વચ્ચે વન ડે ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે બુકીઓ સક્રીય બની સટ્ટો રમાડતા હતા. આનંદનગર પોલીસને માહિતી મળી હતી કે આનંદનગર રોડ પર સચીન ટાવર નજીક એક યુવક…
Author: gujarat
ચાર વૃદ્ધાશ્રમે પાંચ વર્ષમાં સંતાનોને સમજાવી ૪૦૦થી વધુ વડીલોને સ્વગૃહે પરત મોકલ્યાં(એજન્સી)અમદાવાદ, શહેરમાં મુખ્ય પ વૃદ્ધાશ્રમ સિનીયર સીટીઝનો માટે કાર્ય કરી રહી છે. જેમાં જીવનધારા, જીવનસંધ્યા, મણીનગર વૃદ્ધાશ્રમ હીરામણી વૃદ્ધાશ્રમ તથા મહીપતસિંહ વૃદ્ધાશ્રમમાં અંતીમ પ વર્ષથી મુકવા આવતા વડીલના સંતાનો અપીલ વૃદ્ધાશ્રમ ન મુકવા માટે અપીલ કરવામાં આવે છે.કેટલાક વૃદ્ધાશ્રમમાં તો સંતાનોની પરીસ્થિતી ખરાબ હોય તો તેમને આર્થિક મદદ કરીને પોતાના માતા પિતા સાથે રાખવામાં આવે છે. ત્યારે કેટલા વૃદ્ધાશ્રમમાં વડીલોની સંપતી સંતાનોને જપ્ત કરી હોય તે પાછી લેવામાં પણ મદદ કરવામાં આવે છે.દરેક વૃદ્ધાશ્રમ વડીલોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થાય છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં વડીલોને પ્રવેશ આપવા માટે અરજી પડતર…
નરોડામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઝડપાયાઃ૧.પ૦ કરોડના બેલેન્સની વિગત મળી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દરેક મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હોય છે.ત્યારે જ ભારત અને દક્ષીણ આફ્રીકા વચ્ચે રમાઈ રહેલી વનડે મેચ પર સટ્ટો રમાડતા બે યુવાનોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમેઝડપી લીધા છે.નરોડા કૃષ્ણનગર પાર્શનાથ કેનાલ પાસેથી એક બંધ દુકાન આગળ જાહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ યુવાનોનો મોબાઈલ ચેક કરતાં તેમાં ૧.પ૦ કરોડનું બેલેનસ અને વ્યવહારોની વિગતો મળી હતી. આ બુકીઓ પાસેથી ગ્રાહકોની વિગતો અને લીસ્ટ પણ મળી આવ્યું હતું. આ દિશામાં તપાસ ચાલી રહી છે. માસ્ટર આઈડી અંગેની પુછપરછમાં બુકીઓ જાતેજ સટ્ટા માટે એપ્લીકેશન ડેવલપ કરી હોવાની કબુલાત…
વડાપ્રધાનશ્રીની‘એક ભારતને શ્રેષ્ઠ ભારત‘ની સંકલ્પનાને સાકાર કરવા સૌની સહભાગીતા અત્યંત જરૂરી: કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીવિવિધતામાં એકતા,એ જ આપણી સૌથી મોટી તાકાત – કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીવડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી આજની યુવાપેઢીની: કેન્દ્રીય મંત્રી ડૉ. સુકાંત મજુમદારસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીને ભવ્ય બનાવવા માટે કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમીની યાત્રા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડીએ (G Kishan reddy ) જણાવ્યું કે,આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પને સાકાર…
૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ્દ! IndiGo CEO પીટર એલ્બર્સે તારીખ જણાવી, કહ્યું: આ દિવસથી એરલાઇન ફરીથી રેગ્યુલર થઈ જશેનવી દિલ્હી, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) છેલ્લા ત્રણ દિવસથી ભારે અફરાતફરીમાં છે. સતત ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન, શુક્રવારે CEO પીટર એલ્બર્સએ પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું અને સ્વીકાર્યું કે કંપનીના ઓપરેશનલ સિસ્ટમને ‘રીસેટ’ કરવાના નિર્ણયથી સમગ્ર નેટવર્કમાં ગંભીર અવરોધ ઊભો થયો છે.એલ્બર્સે જણાવ્યું કે, ઇન્ડિગોને સંપૂર્ણપણે ચાલુ થતાં હજી ૫ થી ૧૦ દિવસ લાગી શકે છે, અને ધીમે ધીમે ૧૦ થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે સેવાઓ સ્થિર થવા લાગશે. આ નિવેદન એવા સમયે આવ્યું…
Øઆ સંશોધન એ મહિલાઓને માસિક ધર્મ સમયે પડતી મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થશેØઓછી સુવિધા ધરાવતા વિસ્તારોમાંHMBના કારણો જાણવા આધુનિક ડાયગ્નોસ્ટિકસ-AIટેકનોલોજીનો ઉપયોગØHMBની સમસ્યા નિવારણ અને તેની જાગૃતિ માટેGBUદ્વારા મહિલાઓને આમંત્રિત કરાશેરાજ્ય સરકાર સંચાલિત ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રોહિણી નાયરના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમ ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગ હેઠળ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMBએટલે કે,મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવ માટેRNA-આધારિત ડાયગ્નોસ્ટિક અને સારવાર માટે સંશાધનો વિકસાવવા પર કાર્ય કરવામાં આવશે. આ સંશાધનો પોસાય તેવા સ્કેલેબલ અને ન્યૂનતમ ઈન્વેઝિવ હશે.ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ માટે વહેલા નિદાન,વ્યક્તિગત સારવાર અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ મેનેજમેન્ટમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટને ‘ગેટ્સ…
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળામાં શુક્રવારે સમી સાંજે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે રેલવે લાઇન નજીક આવેલા વીજપોલ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વીજપોલ પર લટકતી લાશ જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી એ ચોક્કસ થઈ શક્યું નથી કે આ હત્યા છે કે આત્મહત્યા.જોકે ખુલાસો તો તપાસ બાદ જ થશે. મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ બાવળાના બોરડીવાળી જીન વિસ્તારમાં રહેતા શિવમ રમેશભાઈ ઠાકોર તરીકે થઈ છે. શુક્રવારે સાંજના સમયે, રેલવે ટ્રેક પાસેથી પસાર થતા કેટલાક લોકોની નજર વીજપોલ પર લટકી રહેલા…
રાજકોટ, રાજકોટના જસદણમાં પ્રતાપપુર ગામે પૂર્વ પત્નીના પતિની હત્યા કરવાના ગુનામાં કોર્ટે યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. ૩ વર્ષ પહેલાની આ ઘટનામાં કોર્ટે ૧૫ હજારનો દંડ પણ ફટકાર્યાે છે.વર્ષ ૨૦૨૨માં યશવંત મકવાણાએ પત્ની કોમલને છૂટાછેડા દીધા હતા.બાદમાં પત્નીએ કમલેશ ચાવડા સાથે બીજા લગ્ન કર્યા હતા, જોકે તે લગ્નની બીજી જ રાતે પૂર્વ પતિ યશવંતે નવા પતિ કમલેશની તેના ઘર પાસે જ છરીના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી.અમરેલીના વડિયામાં રહેતા યશવંત મકવાણાએ કોમલ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં જૂન – ૨૦૨૨માં પત્ની કોમલને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા થઈ ગયા બાદ કોમલે જસદણના પ્રતાપપુરના કમલેશ મોહનભાઈ ચાવડા સાથે ૧૫…
ગાંધીનગર, ગાંધીનગરમાં એક જ સેક્ટરમાં રહેતા અને વર્ષાે જૂના મિત્રએ ગિફ્ટ સિટીમાં જમીન અપાવવાની લાલચ આપીને પોતાના મિત્ર અને અન્ય બે વ્યક્તિઓ પાસેથી કુલ રૃ. ૯૯ લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. પૈસા પરત માંગતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન બંધ કરી દીધો હતો.હાલમાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ વધુ એક ઘટના બહાર આવી છે.જે ઘટના સંદર્ભે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર ૧૩-બી ખાતે રહેતા અને સ્કૂલવાન ચલાવતા પ્રદીપસિંહ અમરસિંહ ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ વર્ષ ૨૦૦૮થી તેમના જ સેક્ટરમાં રહેતા નિર્મલસિંહ ભરતસિંહ જાડેજાને ઓળખતા હતા…
ગાંધીનગર, તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક કસ્ટોડીયલ ડેથની ઘટના બની હતી. આ ઘટના વચ્ચે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટે ગુજરાત સરકારની નીતિને ઉઘાડી પાડી છે કેમકે, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે સાથે સાથે ખાખીની કામગીરી પણ શંકાના ઘેરામાં મૂકાઇ છે. આખાય દેશમાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે રહ્યુ છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં જ ૯૫ આરોપીના મૃત્યુ થયાં છે.જે ચિંતા ઉપજાવે તેમ છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ સાથે અમાનવીય વર્તન,ત્રાસ અને યાતના ગુજારવામાં આવી રહી છે જેના કારણે ચિંતાજનક સ્થિતી સર્જાઇ છે.પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્ટડીમાં આરોપીઓનાં મોત થઇ રહ્યાં છે વર્ષ ૨૦૧૮ અને…
