કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરેમહિલાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધØઆંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જોડાવા ઈચ્છુક મહિલાઓ તા. ૩૦ ઓગસ્ટ સુધીe-HRMSવેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશેØરાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી૧૮ થી ૩૩ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ અરજી કરી શકશેAhmedabad, વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ૯૦૦૦થી વધુ જગ્યાઓ પર માનવબળની જાહેરાત કરવામાં આવી છે.આંગણવાડીમાં માનવબળ વધવાથી કુપોષણ ઘટાડવા, બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય-પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ…
Author: gujarat
ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં‘પોલીસ-સરપંચ પરિસંવાદ‘કાર્યક્રમ યોજાયાગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયાપોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા આ અનોખા કાર્યક્રમનું આયોજનગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી આજે સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે‘પરિસંવાદ‘કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના સરપંચોએ સાથે મળીને ગ્રામીણ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.આ અનોખી પહેલ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ…
દિવ્યાંગજનો એ આપણા સમાજનું અભિન્ન અંગ છેરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ,વ્હીલચેર,કૅલિપર,સ્માર્ટફોન સહિતની સાધન સહાયનું વિતરણદિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાની પહેલને બિરદાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીસમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં રાજ્યપાલશ્રીઆજરોજ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ ગણાવીને જણાવ્યું હતું કે,વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સારસંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બાબત બની ગઈ છે. દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોય સંસ્થા…
ગોધરાની મહિલા તાંત્રિકે વિધિના નામે ૬૭ લાખની છેતરપિંડી કરી-મહિલા તાંત્રિકે વિધિ કરવાના નામે ધન અપાવવાની લાલચ આપીવિરમગામ, અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ફરસાણની દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં જવાની હોવાથી તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઈ જાય તે માટે એક મહિલા તાંત્રિકે વિધિ કરવાના નામે તેમજ દુકાનની નીચે કરોડોનું ધન છુપાયેલું છે.જે અપાવવાની લાલચ આપીને વિવિધ વિધિના નામે કુલ ૬૭ લાખની માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ગોધરાની મહિલા તાંત્રિકે મેલીવિદ્યાના નામે અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વિરમગામમાં માંડલ રોડ…
રાજ્યમાં ૮૨ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ-સૌથી વધુ ૬૮ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યોØરાજ્યના ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયાØરાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહAhmedabad, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૬૮.૭૯ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં ૬૬.૫૪ ટકા,ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા,કચ્છમાં ૬૫.૧૩ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ,સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૨…
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યાભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા,મહિલા ધારાસભ્યશ્રીઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…
12થી14ઓગસ્ટદરમિયાનહિંમતનગર–ખેડબ્રહ્માસેક્શનનું રેલ્વેસેફ્ટીકમિશનરદ્વારાસંરક્ષાનિરીક્ષણકરવામાંઆવશેપશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શન (લગભગ55કિમી) નું ગેજ કન્વર્ઝન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જેનુંસંરક્ષા નિરીક્ષણ12ઓગસ્ટથી14ઓગસ્ટ2025દરમિયાન પશ્ચિમ રેલ્વેના રેલ્વે સેફ્ટી કમિશનર (CRS)દ્વારા કરવામાં આવશે.રેલવે બોર્ડ દ્વારા2જૂન2022ના રોજ રૂ.482.42કરોડની અંદાજિત કિંમતે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન (લગભગ55કિમી) ના ગેજ પરિવર્તન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચે મહાદેવપુરા,જાદર,વડાલી અને ઈડર સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે. આ નવી બ્રોડ ગેજ લાઇન માટે મહત્તમ110કિમી પ્રતિ કલાકની ઝડપ નક્કી કરવામાં આવી છે અને આ લાઈનમાં આધુનિક260મીટર લંબાઈના60કિગ્રા-આર260ગ્રેડ20રેલ પેનલ સાથે નવા બ્રોડ ગેજ ટ્રેક પાથરવામાં આવ્યા છે,જેનાથી ટ્રેનોની ગતિ અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. આ રેલવે લાઇનના અંતિમ નિરીક્ષણ અને સંરક્ષા મંજૂરી…
દિલીપ પટેલ: Dogs are biting Modi’s Gujarat model मोदी के गुजरात मॉडल को कुत्ते काट रहे हैं 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનું ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ…
આરોગ્ય સુરક્ષા સંદર્ભના વિવિધ સૂત્રો સાથેની રાખડી બાંધવામાં આવીરક્ષાબંધન એટલે આપણું પવિત્ર પર્વ. ભાઈઓને રક્ષા માટે બહેનો રાખડી બાંધીને ભાઈની રક્ષાની કામના કરે છે. આ પર્વના પૂર્વ દિવસે અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં શાળાના બાળકો તથા આશા વર્કરોએ આરોહ્ય સુરક્ષાના વિવિધ સૂત્રો સાથેની રાખડીને અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી.તાજેતરમાં અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવાની અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.આ પરિસ્થિતીમાં લોકોનું અરોગ્ય જોખમાય નહી પણ જળવાય તેવા હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા…
ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના મુખ્યમંત્રીએ શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂજન-અર્ચન કર્યારાજ્ય સરકાર દ્વારા હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવ પૂર્વક કર્યા હતા. તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી,સમૃદ્ધિ,શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી.હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં,મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. ૧૮ કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. ૪.૨૨ કરોડના અનુદાનથી…
